જુનાગઢ જિલ્લામાંથી એક સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે લોકોને મદદ પહોંચાડવા માટે ૨૧,૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ વધુ ૨૫ થી ૩૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં શરુ છે. તૈયાર થયેલા ફુડ પેકેટને તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ, વિવિધ સ્થળો ખાતેથી જરુરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. તો વળી બિપોરજોય વાવાઝોડાને લઈને તકેદારીના ભાગ રૂપે પૂર્વ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ એસટી બસો બંધ કરવામાં આવી છે. ગોધરા એસટી ડિવિઝન, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસોના 125 જેટલાં રૂટ બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતની નજીક પહોંચી રહેલા અતિ ગંભીર બિપોરજોય વાવાઝોડાને પગલે તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને લઈ ત્રણેય જિલ્લાના કુલ સાત એસટી ડેપો અને ગોધરામાં સેન્ટ્રલ એમ કુલ 8 જેટલા કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. વાવાઝોડાની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી એસટી વ્યવહાર બંધ રાખવા ડિવિઝને નિર્ણય લીધો છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
અરવલ્લી જિલ્લામાંથી કચ્છ અને સૌરાષ્ટ જતી બસ રદ કરાઈ છે. મોડાસા ડેપો માંથી મોડાસા-સોમનાથ બસ રદ કરાઈ છે. બાયડ ડેપોમાંથી બાયડ-દ્વારકા અને બાયડ-ભુજ બસ રદ કરાઈ છે. બિપોરજોય વાવાજોડાની દહેશત વચ્ચે અરવલ્લી જિલ્લાની ત્રણ બસો રદ્દ કરવામાં આવી છે. આગામી 13,14 અને 15 જૂન સુધીની ટ્રીપ રદ્દ કરાઈ છે. ત્યારે આ બધા જ પગલાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યા છે.