‘પુષ્પા ૨’ થિયેટરોમાં ખૂબ જ સફળ થઈ રહી છે. ફિલ્મે બીજા દિવસે 265 કરોડની કમાણી કરી છે. ૪ ડિસેમ્બરે હૈદરાબાદમાં ફિલ્મના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. આ કેસમાં અલ્લુ અર્જુન, એની સિક્યોરિટી એજન્સી અને થિયેટર સામે કેસ દાખલ કરાયો હતો. હવે આ મામલે પહેલીવાર ‘પુષ્પરાજ’એ મૌન તોડ્યું છે. અલ્લુ અર્જુન મહિલાના મૃત્યુથી ખૂબ જ દુ:ખી છે.
4 ડિસેમ્બરના રોજ અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાંથી બહાર નીકળ્યા બાદ થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકના પતિ મોગડમપલ્લી ભાસ્કરે આ મોત માટે અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવ્યો હતો. એણે કહ્યું હતું કે જો અલ્લુ અર્જુન અને એની ટીમ કહીને થિયેટરમાં આવ્યો હોત તો એની પત્ની મરી પણ ન હોત અને પુત્રની આવી હાલત પણ ન હોત.
Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for… pic.twitter.com/g3CSQftucz
— Allu Arjun (@alluarjun) December 6, 2024
અલ્લુ અર્જુન પરિવારને આપશે 25 લાખ રૂપિયાનું વળતર
કેસ નોંધાયા બાદ અલ્લુ અર્જુને એક્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે તે મહિલાના પરિવારને પર્સનલી મળશે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં મહિલાનો પરિવાર એકલો નથી. તે તેમની સાથે ઉભો છે. અલ્લુ અર્જુને એમ પણ કહ્યું છે કે તે તેમના માટે જે પણ કરી શકે તે કરશે. તે તેમની પડખે ઊભો રહેશે. તેમણે મૃતકના પરિવારને ૨૫ લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. તેમજ સારવાર અને દવાઓનો તમામ ખર્ચ તેઓ ઉઠાવશે.
મહિલાના પરિવારે કેસ દાખલ કર્યો હતો.
સંધ્યા થિયેટરમાં આ ઘટના બન્યા બાદ મૃતક મહિલાના પરિવારજનોએ ચિક્કાદપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. બીએનએસ એક્ટની કલમ 3(5) સાથે વંચાતી કલમ 105 અને 118(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
હરતું ફરતું પાણીપુરીનું મશીન, પાણીપુરી મેનને જોઈ મહિલાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, VIDEO વાયરલ
આ છે બાબા વાંગાની વર્ષ 2025ની ભવિષ્યવાણી, બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે મોટા ફાયદા!
થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ પર લગાવ્યો આરોપ
“ફરિયાદ મુજબ, થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “આપણે એ ઓળખવું પડશે કે તેમની સુરક્ષા ટીમમાં કોણ કોણ હાજર હતા અને કોણે લોકોને ધક્કો માર્યો હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.” “અમારી તૈનાતી ત્યાં હતી અને પોલીસ તરફથી કોઈ ભૂલ થઈ ન હતી. તપાસ ચાલુ છે.