અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક સમારોહ માટે બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોમવારે સવારથી જ ફિલ્મ ઉદ્યોગની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચવાનું શરૂ કરી દીધું હતું. અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, રણદીપ હુડ્ડા સહિત ઘણા કલાકારો અને અભિનેત્રીઓ ટેક ઓફ કરતા પહેલા મુંબઈ અને ચેન્નાઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
#WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya.
Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ
— ANI (@ANI) January 22, 2024
અમિતાભ બચ્ચન
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સફેદ કુર્તા-પાયજામા પહેરીને સોમવારે સવારે અયોધ્યા જતા પહેલા મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા.
अभिनेता रजनीकांत और धनुष कल प्राण प्रतिष्ठा समारोह में भाग लेने के लिए अयोध्या के लिए रवाना हुए।#AyodhaRamMandir #Rajnikant pic.twitter.com/fbQUOvTaQs
— Jan Ki Baat (@jankibaat1) January 21, 2024
રજનીકાંત અને ધનુષ
ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તેમના જમાઈ ધનુષ સાથે અયોધ્યા જવા રવાના થયા હતા. જ્યારે અભિનેતા ફ્લાઈટ લેવા માટે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના ચાહકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.
રણદીપ હુડા-લિન લૈશ્રમ
અયોધ્યા જતા પહેલા નવા પરણેલા કપલ રણદીપ હુડા અને લીન લેશરામ એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા. રણદીપે મીડિયા સાથે ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. જ્યારે ઉદઘાટન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતા રણદીપ હુડ્ડાએ કહ્યું, “ભારત માટે આ એક મોટો દિવસ છે.”
सब राम भक्तों के साथ मैं अयोध्या में पहुँच गया हूँ।हवाई जहाज़ में कमाल की भक्ति का वातावरण था।कीर्तन, राम जी की जय जय की गूंज।वाह! हम धन्य है। हमारा देश धन्य है! जय श्री राम! 🕉🙏🕉🕉🕉🙏 pic.twitter.com/kMYLUJMrKf
— Anupam Kher (@AnupamPKher) January 21, 2024
અનુપમ ખેર
‘કાશ્મીર ફાઇલ્સ’ના અભિનેતા અનુપમ ખેર અયોધ્યા જતા પહેલા રવિવારે એરપોર્ટ પહોંચ્યા હતા. અભિનેતાએ ફ્લાઇટની અંદર ભગવો રામ ધ્વજ ધારણ કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.તેમણે કહ્યું, “હું તમામ રામ ભક્તો સાથે અયોધ્યા પહોંચ્યો છું. ફ્લાઇટમાં અપાર ભક્તિનું વાતાવરણ હતું. અમે ધન્ય છે, આપણો દેશ ધન્ય છે! જય શ્રી રામ!”
રણબીર કપૂર-આલિયા ભટ્ટ
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ સાથે અયોધ્યા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે આલિયા ટ્રેડિશનલ કપડામાં ખૂબ જ સુંદર દેખાતી હતી, તો રણબીર પણ ધોતી-કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. તેમની જોડી ખૂબ સારી રીતે મળી રહી હતી.
#WATCH | Vicky Kaushal-Katrina Kaif leave from Mumbai for Ayodhya in Uttar Pradesh ahead of the pranpratishtha ceremony at the Ram Temple. pic.twitter.com/bu8myp5EL6
— ANI (@ANI) January 22, 2024
વિકી કૌશલ- કેટરિના કૈફ
અભિનેતા વિકી કૌશલ તેની પત્ની કેટરિના કૈફ સાથે અને અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે અયોધ્યાની ફ્લાઈટ લેતા પહેલા મુંબઈ એરપોર્ટની બહાર પરંપરાગત કપડાંમાં જોવા મળ્યા હતા. બંને યુગલોએ હાથ જોડીને પાપારાઝીનું સ્વાગત કર્યું.
#WATCH | Uttar Pradesh: Actress Kangana Ranaut participates in cleanliness drive at Hanuman Garhi Temple in Ayodhya.
She is in Ayodhya to attend the Pran Pratishtha ceremony tomorrow. pic.twitter.com/LpElT3ROdf
— ANI (@ANI) January 21, 2024
કંગના રનૌત
‘ક્વીન’ અભિનેત્રી કંગના રનૌત રવિવારે અયોધ્યા પહોંચી હતી. આ દરમિયાન તેમણે અયોધ્યાના એક મંદિરમાં સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. કંગના રનૌત લાલ અને સોનાની રંગની સિલ્ક સાડીમાં હનુમાન ગઢી મંદિરમાં સફાઈ કરતી જોવા મળી હતી.
અંબાલાલ પટેલની મહા ભયંકર આગાહી, ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?
“અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ઘણી જગ્યાએ ભજન અને યજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે જાણે અમે પહોંચી ગયા છીએ. ‘દેવ લોક’… જે લોકો આવવા નથી માંગતા તેમના વિશે અમે કંઈ કહી શકતા નથી… અત્યારે અયોધ્યામાં રહીને સારું લાગે છે.”