દિવંગત અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં એક નવો એંગલ ઉમેરાયો છે. સતીશે જે ફાર્મહાઉસમાં પાર્ટી યોજી હતી તેનો માલિક કુબેર ગ્રુપનો વિકાસ માલુ છે. વિકાસ માલુની પત્નીએ આરોપ લગાવ્યો છે કે સતીશના મોતમાં તેના પતિનો હાથ છે. પત્ની સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર મોકલીને સમગ્ર વાત જણાવી છે. વિકાસ માલુની પત્ની સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને સતીશ કૌશિકના મોતમાં તેના પતિ વિકાસ માલુની સંડોવણી અંગે શંકા વ્યક્ત કરી છે.
પૈસા બાબતે હતો સતીશ સાથે ઝઘડો
સાનવીએ લખ્યું કે એકવાર વિકાસની સતીશ સાથે 15 કરોડની મોટી રકમની લેવડદેવડને લઈને ઝઘડો થયો હતો. પત્નીએ જણાવ્યું કે સતીશ અને વિકાસ જૂના મિત્રો છે. સતીશ એક વખત વિકાસ પાસેથી તેના 15 કરોડ રૂપિયા લેવા માટે વિદેશ આવ્યો હતો જેના પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિકાસે પછી આપીશ તેમ કહી સતીષને ટાળી દીધો હતો.
વિકાસ પર 2 મહિના પહેલા થયો છે બળાત્કારનો કેસ
પત્રમાં સાનવીએ સતીશના મૃત્યુમાં તેના પતિના કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેણે લખ્યું છે કે વિકાસે સતીશને ખોટી દવા આપી હશે જેથી તેને પૈસા ચૂકવવા ન પડે. તેમજ આ બાબતે તપાસની માંગણી કરી હતી. સાનવીએ બે મહિના પહેલા તેના પતિ વિકાસ માલુ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાનવી જાણી જોઈને આવા મેઇલ મોકલી રહી છે જેથી તે વિકાસને ફસાવી શકે. કારણ કે સતીશ કૌશિકના પરિવારજનોએ પણ આવી કોઈ શંકા વ્યક્ત કરી નથી.
કોણ છે વિકાસ માલુ?
તે જ સમયે પોલીસને મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ કૃત્ય સામે આવ્યું નથી. સતીશનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી જ થયું હોવાનું કહેવાય છે. વિકાસ માલુ અને સતીશ કૌશિકની મિત્રતા ઘણી જૂની છે. વિકાસ માલૂ એક બિઝનેસમેન છે અને તેમની કંપનીનું નામ કુબેર ગ્રુપ છે. વિકાસ સતીશ કૌશિકનો પારિવારિક મિત્ર પણ છે. તે ઘણીવાર સતીશ સાથે જોવા મળતો હતો.
42 દિવસ પછી 3 રાશિઓના જીવનમાં આવશે મોટું તોફાન, 6 મહિના સુધી રાહુ-ગુરુની યુતિ ખલબલી મચાવી દેશે
VIDEO: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર ઈંટ અને પથ્થરમારો, બારીના કાચના ભૂક્કા બોલાવી નાખ્યા
તેમની મિત્રતાની ઊંડાઈ એ વાત પરથી જાણી શકાય છે કે સતીશ કૌશિક હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે ખાસ મુંબઈથી ગુરુગ્રામ આવ્યા હતા. ફાર્મહાઉસમાં યોજાયેલી હોળી પાર્ટીમાં ઘણા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. સતીશ કૌશિકનું 9 માર્ચે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 માર્ચે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના પ્રિય મિત્ર અનુપમ ખેર પણ હાજર રહ્યા હતા.