BIG BREAKING: 22 જાન્યુઆરી માટે રાજ્ય સરકારનું મોટું એલાન, ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી કાર્યાલાયમાં રજા કરી જાહેર

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાથવા જઈ રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સહિત દેશભરમાં તારીખ 22/01/2024 ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે.

રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા.22/01/2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે, ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ શુભ પ્રસંગને લઈ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે.

અડધા દિવસની સરકારી રજા જાહેર

22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ ખાસ દિવસે સરકારી કચેરીઓમાં અડધો દિવસ કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના અવસર પર 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. ભક્તોની ભારે લાગણીને ધ્યાનમાં રાખીને અડધો દિવસ ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રાજ્યોમાં પણ રજા કરાઈ જાહેર

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં પણ ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ આ અવસર પર રજા જાહેર કરાઈ છે. હવે કેન્દ્ર સરકારે પણ તમામ ઓફિસો અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.

“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે.

 


Share this Article