મોરારીબાપુ રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતમાં ઘાયલ અને અવસાન પામેલા લોકોને રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોનાં પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.
જ્યારે પણ કોઈ આવી ઘટના બને છે ત્યારે મોરારીબાપુ સેવાની સરવાણી વહાવતા રહે છે. ત્યારે હાલમાં બાપુ રામકથા માટે કલકત્તા ગયા છે, એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટનાને અંગે મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાજંલિ પાઠવી છે. તો વળી આ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.
આ પણ વાંચો
આ ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 233 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે કથાકાર મોરારીબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ રૂપિયા 50 લાખની સહાય આપી છે.