હાલમાં દરેક ગુજરાતીને ચિંતા છે, કારણ કે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાનું મોટુ જોખમ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. જે આગળ જતા વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. બિપરજોય નામના આ વાવાઝોડાને પગલે દ્વારકા, જામનગર જૂનાગઢ, માંગરોળના દરિયાકિનારે કરંટ દેખાયો હતો જે સૌથી ખતરનાક માનવામાં આવી રહ્યો છે. આથી દ્વારકાના ઓખા અને જામનગરના રોઝી પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દઇ સતર્ક રહેવા સૂચના અપાઈ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપેલી છે.
બીજી વાત એ પણ છે કે જો વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું તો પણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદ પડશે . ત્યારે સંભવિત વાવાઝોડાને પગલે રેસ્ક્યુ ટિમ અને તંત્ર ખડેપગે છે. ગુજરાતના દરિયાકાંઠા પર ભયજનક સિગ્નલો લગાવી દેવાયા છે. જેના ભાગરૂપે જામનગરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો
વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 13 જૂનથી લઇને 14 જૂન સુધીમાં બિપરજોય ગુજરાતના દરિયા કિનારાને ધમરોળી શકે છેં. વાવાઝોડાને લીધે ગુજરાતમાં ભારેથી આતીભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.