કૃષિ વીજ જોડાણોને લઇ સરકારનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ખેડૂતો માટે રાહતકારી નિર્ણય લેતા જગતના તાતમાં ખુશીની લાગણી છે. હવે વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારે કહ્યું છે કે લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેતીના વીજ કનેક્શનો ધરાવનારને આ નિર્ણયથી સારો લાભ મળશે. નિયમ પ્રમાણે સ્થળ પર પૈસા ભરી લોડ વધારી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન સંઘની રજૂઆત બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.
હવામાન વિભાગે કરી દઝાડતી આગાહી, માવઠાં બાદ હવે ગુજરાતીઓ 2 મહિના અસહ્ય ગરમી માટે તૈયાર થઈ જાઓ
પૃથ્વી પર સોનું ક્યાંથી આવ્યું? કેવી રીતે આવે છે ચમક, સોના વિશેના આ તથ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે
પાકિસ્તાન સહિત 155 દેશોની નદીઓના પાણીથી CM યોગી કરશે રામલલ્લાનો જળાભિષેક, જાણો શા માટે?
વિજય રૂપાણીની સરકાર વખતે પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. વિજય રૂપાણીના પ્રેરક નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો એ એવો હતો કે હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજ ભાર નિયમિત કરાવવા માટે તક મળશે અને ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. ત્યારે હવે ફરીવાર આવો જ એક નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.