મીરા સોલંકી હત્યા કેસનો આરોપી ઝડપાયો, ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં મળી હતી લાશ

Lok Patrika
By Lok Patrika
Share this Article

મીરા સોલંકીની મર્ડર કેસમાં શંકાસ્પદ સંદીપ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર સંદિગ્ધ સંદીપ મકવાણાને પોલીસે વાઘોડિયા ખાતેથી પકડી લીધો છે. ઉલ્લેખનીય છે કે, મીરાએ ઘરેથી નીકળ્યા બાદ પિતરાઈ બહેનને મેસેજ કરીને કહ્યું હતું કે, તે સંદીપ મકવાણા સાથે છે અને સાંજ સુધીમાં પરત ઘરે આવી જશે…ચિંતા ના કરશો.. અને બીજા દિવસે મીરાની તિલકવાડાની સીમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

હવે સંદીપ મકવાણા પકડાઈ જતાં મીરા સોલંકીની હત્યા કોણે અને શા માટે કરી તે સામે આવે તેવી શક્યતા છે. વડોદરા અને બોડેલી પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને સંદીપ મકવાણાને વાઘોડિયા રોડ પરથી પકડી લીધો છે અને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી બાદ કાર્યવાહી બાદ પૂછપરછ કરાશે.

પોલીસે જે કાર્યવાહી કરી છે તેને અમે બિરદાવીએ છીએ અને સાચા કારણો બહાર આવે અને આરોપીને સજા કરવામાં આવે. જણાવી દઈએ કે, ૫ દિવસ પહેલા માંજલપુરમાં ૨૦ વર્ષીય મીરા સોલંકીની નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્‌સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઈશ.

તાજેતરમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપનાર યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે જાણવા માટે પોલીસે વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તૃષા સોલંકીની જેમ મીરા સોલંકીની પણ પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું હાલ મનાઈ રહ્યું છે. જાે કે, સંદીપની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, માંજલપુરમાં દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી.

બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતીની લાશ બીજી કોઈની નહીં પરંતુ મીરા સોલંકીની જ હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly