અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં માવઠું પડવાની શક્યતા, ભારે હિમ વર્ષા માટે પણ થઈ જાવ તૈયાર

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ખેડૂતોને ચિંતારૂપ માવઠાંની આગાહી કરી છે. આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે.

ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો, 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.

તમને જણાવી દઈએ કે, આગામી ત્રણ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.

હિમવર્ષાનો રાઉન્ડ આવશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.

ભારે હિમ વર્ષાની શક્યતા

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.

આ 4 રાશિના લોકોને બંપર લાભ, આજે તમને મહિલા મિત્ર તરફથી મળશે સારા સમાચાર, નોકરીની આવશે સારી તકો, જાણો આજનું રાશિફળ

કરણ જોહરના શોમાં મહેમાનોને મળે છે કઈ ભેટ,’ધ કોફી હેમ્પર’માં કયો ખજાનો છુપાયેલો, શું ગીફ્ટસ કિંમતી હોય છે આવો જોઈએ

ફેસબુક જેવું ફીચર આવશે ઇન્સ્ટાગ્રામમાં, યુઝર્સ આ એપને નવી રીતે ઉપયોગ કરી શકશે, શું હશે નવુ ફીચર આવો જાણીએ

ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.


Share this Article