ગુજરાત આમ આદમી પાર્ટીના ઢગલો નેતાઓને દિલ્હીમાં તેડું, અરવિંદ કેજરીવાલ સાથે ચૂંટણીને લઈને બેઠકનો ધમધમાટ શરૂ

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં ભવિષ્યની વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીની ટીમ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે આવનારી ચૂંટણીને લઈને બેઠક કરવામા આવી હતી. દિલ્હીમા યોજાયેલ બેઠકમા ગુજરાતની ટીમના શીર્ષ નેતાઓએ હાજરી આપી હતી.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર ના સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, સાઉથ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ ચૈતર વસાવા, સુરત ઝોન કાર્યકારી અઘ્યક્ષ અલ્પેશ કથરીયા, નોર્થ ગુજરાત ઝોન કાર્યકરી અઘ્યક્ષ ડોક્ટર રમેશ પટેલ, કચ્છ ઝોન સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશદાન ગઢવી, સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી અઘ્યક્ષ જગમાલભાઇ વાલા અને સેન્ટ્રલ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ જ્વેલ વસરા હાજર રહ્યા હતા. તમામ શીર્ષ નેતાઓને અરવિંદ કેજરીવાલે શુભકામનાઓ પાઠવી હતી.

આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે. તો વળી પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર હવે રાજકારણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે. તો આવે જાણીએ કે અંદરની એવી કઈ વાત છે કે જેના કારણે ગોપાલ ઈટાલિયાને તગેડી ઈશુદાનને આ જવાબદારી આપવામાં આવી છે.

ઈસુદાન ગઢવીને સંગઠનમાં કાર્યકરો ગોપાલ કરતાં તેમને વધારે પસંદ કરે છે
-ઈસુદાન ગઢવીને પત્રકાર હોવાનો લાભ મળ્યો
-ગોપાલ ઈટાલિયાથી આમ આદમી પાર્ટીના જ નેતાઓમાં હતો ભારે રોષ
-કેજરીવાલને પોતાનો સિક્કો પણ ઉંચો રાખવાની ઘેલછા છે
-પક્ષને આર્થિક ભંડોળની પણ જરૂર છે, જે ઈટાલિયા બહારથી લાવી શકે તેમ નથી
-ગોપાલ ઈટાલિયામાં સંગઠનને મજબૂત કરવાની શક્તિ જ નથી
-ગોપાલ ઈટાલિયાના કારણે સારા સારા લોકો પક્ષમાં નથી જોડાતા
-અરવિંદ કેજરીવાલ પણ ગોપાલ ઈટાલિયાથી નારાજ હતા
-ઈટાલિયાના સોશિયાલ મીડિયા પર વાયરલ નિવેદન અને વીડિયોએ કાંડ કરી નાખ્યો
-ગોપાલ ઈટાલિયાના કારણે પાર્ટીની ઈમેજ કલંકિત થઈ

ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા.

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ પ્રયાસો લગાવી દીધા હતા. પાર્ટીને ગુજરાતમાં માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. AAPના મોટા નેતાઓએ ગુજરાતમાં રેલીઓ યોજી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન જેવા નેતાઓ સામેલ હતા.

ચૂંટણીમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું પ્રદર્શન કેવું રહ્યું

ખંભાલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર ઇસુદાન ગઢવીને 18 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. AAP પ્રમુખ ગોપાલ ઈટાલયાને કતારગામ મતવિસ્તારમાંથી AAPના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓને ભાજપના વિનોદભાઈ મોરડિયાએ હરાવ્યા હતા. મોરાડિયાને 1 લાખ 20 હજાર 42 વોટ મળ્યા જ્યારે ઈટાલિયાને 55 હજાર 639 વોટ મળ્યા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly