ગુજરાતના બિઝનેસ મેનો માટે માઠા સમાચાર, સરકારે વ્યવસાય વેરામાં કરી નાખ્યો એકીસાથે આટલાં રૂપિયાનો વધારો

Lok Patrika
By Lok Patrika
Share this Article

દેશ સહિત ગુજરાતમાં ભારે મોંઘવારી વચ્ચે રાજ્ય સરકારે પણ વ્યવસાય વેરામાં પણ ધરખમ વધારો જીક્યો છે. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરાપાત્ર વેપારીઓ માટે એપ્રિલ ૨૦૨૨થી વેરા દરના સ્લેબમાં ફેરફાર કરાયા છે. અત્યાર સુધી નગરપાલિકા રૂ.૨.૫૦ લાખથી વધુ ટર્નઓવર અને ૬ થી ૯ હજારના પગારદાર ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.૫૦૦ વ્યવસાય વેરો, જ્યારે ૫ થી ૧૦ લાખ ટર્નઓવર અને ૯ થી ૧૨ હજારના પગારદાર કર્મચારી ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.૧૨૫૦ વેરો વસૂલતી હતી. હવે આ બંને સ્લેબના બદલે ગત એપ્રિલથી રૂ.૨૫૦૦ વ્યવસાય વેરો અમલમાં મૂકાયો છે.

આથી નવા વ્યવસાય વેરા દર મુજબની નોટિસો વેપારીઓને મોકલવામાં આવતાં ગત વર્ષ કરતાં પાંચ ગણો વેરો વધુ જાેઇ ચોંકી ઉઠેલા કેટલાક વેપારીઓએ કોર્પોરેટરો મારફતે પાલિકામાં પૂછપરછ કરાવી હતી, તો કેટલાક સરકારે દરમાં ફેરફાર કર્યા હોવાનો પ્રત્યુત્તર મળતાં પાછા ફર્યા હતા. મહેસાણા શહેરમાં ૧૭,૫૦૦થી વધુ વેપારીઓ નગરપાલિકાના વ્યવસાય વેરા ચોપડે નોંધાયેલા છે. જેમાં રૂ.૨.૫૦ લાખથી ઓછું ટર્નઓવર કરતા વેપારી પેઢીને વ્યવસાય વેરોમાંથી મુક્તિ અપાયેલી છે.

નગરપાલિકાની વ્યવસાય વેરા શાખામાં ગુજરાત સરકારના નોટિફિકેશનથી રૂ. ૫૦૦ અને ૧૨૫૦ના વ્યવસાય વેરાના સ્લેબ નાબૂદ કરી તમામ કરધારકોના રૂ.૨૫૦૦ કરાયાની નોંધ લગાવાઇ છે. કરપાત્ર વ્યવસાયકારોએ નગરપાલિકામાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વરો ભરવાનો રહે છે, ત્યાર પછી વ્યાજ ચઢતું હોય છે. જેને લઇ નગરપાલિકા દ્વારા જુલાઇ માસમાં તમામ કરપાત્ર ૧૭,૫૦૦ વેપારીને વ્યવસાય વેરો ભરવા અંગેની નોટિસો મોકલાઇ હતી. જે નોટિસમાં રૂ.૨૫૦૦ વેરો જાેઇ વેપારીઓ ચોંકી ઉઠ્‌યા હતા. રૂ. ૬થી ૯ હજારના પગારદાર કર્મીદીઠ અગાઉ માસિક રૂ.૮૦ અને ૯ થી ૧૨ હજારના પગારદાર કર્મી દીઠ માસિક રૂ. ૧૫૦ વ્યવસાય વેરો હતો. આ પગારદારોને વ્યક્તિગત વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ છે. જ્યારે માસિક રૂ.૧૨હજારથી વધુ પગાર આપતી પેઢી પાસેથી વ્યક્તિગત રૂ.૨૦૦ વ્યવસાય વેરો કરાયો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly