Gujarat News: ઓક્ટોબરમાં જામનગરમાંથી નાની ઉંમરના કિશોરના મોતના દુખદ સમાચાર સામે આવ્યા હતા. જામનગરનો 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો.પરિવારજનોનો દાવો છે કે, દીકરો યોગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો અને અવસાન થયું. હવે આવો જ એક કિસ્સા અંકલેશ્વરથી સામે આવ્યો છે અને ત્યાં માત્ર 10 વર્ષની દીકરીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની વાત સામે આવી રહી છે.
આમ તો આજે ભરૂચ જિલ્લામાં ચાર લોકોને હાર્ટ એટેક આવ્યા છે. આમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આમાં સૌથી ચિંતાજનક સમાચાર છે 10 વર્ષીય બાળકીનું મોત. ધોરણ ચારમાં અભ્યાસ કરતી બાળકીનું ગેસની તકલીફ થયા બાદ મોત નીપજ્યું છે. આ બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યાનું માનવામાં આવી રહ્યુ છે.
આ કેસમાં એક વાત ચોખવટ કરવી જરૂરી છે કે અવસાનનું કારણ તો દીકરીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે તે બાદ જ જાણ થશે. પરંતુ અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાની વાત જ ચારેકોર સામે આવી રહી છે.
રસ્તા પર લોહીથી લથપથ પડ્યો હતો શખ્સ, લોકો વીડિયો બનાવતા રહ્યા, મોબાઈલ અને પર્સ પણ ચોરી લીધું
રાજી ખુશીથી ફૂલ જેવી દીકરી ત્યજી… ભાવનગરમાં માનવતા મરી ગઈ, રડવાનો અવાજ સાંભળી માલધારી દોડ્યા, પછી….
આ બાળકી વિશે વાત કરીએ તો બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવાાં આવી રહ્યુ છે. આ બાળકીનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે. મળતી માહિતી પ્રમાણે, બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી.