Gujarat weather forecast : બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનુ અનુમાન છે. છેલ્લા 6 કલાકમાં વાવાઝોડું પ્રતિકલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યુ છે. બિપોરજોય વાવાઝોડુ દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. જોકે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાઇ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડાની ગતિવીધીઓ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ઉતર પશ્ચિમ તરફ આગળ વધવાનુ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જેના લીધે તંત્ર તમામ રીતે એલર્ટ થઇ રહ્યુ છે.
વાવાઝોડામાં પ્રતિકલાકે 130થી 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જેને લીધે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયા કિનારે જવાની સુચના આપવામાં આવી રહી છે. તેમજ ગુજરાતના તમામ પોર્ટ પર 2 નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. વેરી સિવિયર સાક્લોન એટલે વાવાઝોડું વધુ તિવ્ર બનીને આગળ વધી રહ્યુ છે.
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે આખા દેશમાં આ રીતે અને આ પ્રમાણે મેઘરાજા ધબધબાટી બોલાવશે
અંબાલાલની આગાહીથી ગુજરાતીઓ ડર્યા, કહ્યું- વાવાઝોડું આવે કે ના આવે બાકી ગુજરાતમાં એવી અસર થશે કે…..
ઘટાડા પછી ચાંદીમાં તોતિંગ વધારો, સોનાના ભાવે પણ ધંધે લગાડ્યા, એક તોલાના ભાવ સાંભળીને હાજા ગગડી જશે
13 જુન સુધી આજ સ્થિતિમાં વાવાઝોડું આગળ વધશે અને 14 જૂનના વાવાઝોડું નબળુ પડીને સિવિયર સાયક્લોન થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે, વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પણ શક્યતા છે.