Biporjoy cyclone : ભયંકર બિપોરજોય વાવાઝોડું ઉત્તર તરફ આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરનાં બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.જ્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે.
એટલું જ નહી રાજુલામાં 9 ગામો એલર્ટ મૂકવામાં આવ્યો છે જ્યારે કચ્છના દરિયાઇ વિસ્તારમાં 144 લાગુ કરાઈ છે. NDRFની વધુ 2 ટીમો ગુજરાત આવી છે. અત્યારે કચ્છ,જામનગર અને દ્વારકામા SDRF,NDRFની 2-2 ટીમ જ્યારે ગીરસોમનાથ,જૂનાગઢ,મોરબી,પોરબંદરમાં SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરાઈ છે.
બિપોરજોય વાવાઝોડાને લીધે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાઓને સ્પર્શ કરે તેમ હોવાથી દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ગીરસોમનાથમાં વાવાઝોડાના ખતરાને પગલે પોલીસ દ્વારા સ્થળાંતરનું કામ હાથ ધર્યું. દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ. ગીરસોમનાથ જિલ્લાને વાવાઝોડાના ખતરા સંદર્ભે યલો ઝોનમાં મૂકાયો છે.
બંદર પર લંગરવામાં આવેલી તમામ બોટોને સલામત સ્થળે રાખી લેવા તેમજ કોઈપણ સંજોગોમાં માછીમારોને દરિયો ના ખેડવા તંત્રએ તાકીદ કરી છે. વાવાઝોડાની સંભવિત અસરને લઇ દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર જગ્યાએ ખસી જવા તંત્રએ અપીલ કરી છે. બંદરના વિસ્તારમાં ભારે પવન ફૂકવવાની સંભાવના છે.
Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી
‘બિપરજોય’ વાવાઝોડાએ ભલભલાના ધબકારા વધારી દીધા, 6 જિલ્લામાં સૌથી વધારે ઘાતક ખતરો, મેઘરાજા તૂટી જ પડશે
વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ
સાડા છ કરોડ ગુજરાતીઓ માટે ચિંતાજનક ખબર છે. અત્યંત ગંભીર ચક્રવાતથી ગુજરાત પર અસર વધી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું નક્કી છે. અત્યંત ગંભીર પ્રકારનું વાવાઝોડું ગુજરાતને ટકરાશે. વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિમીની ગતિ હોઈ શકે છે.