Gujarat weather: ભવર મીણા ( પાલનપુર ): અમીરગઢ તાલુકામાં ગત સાંજે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને જોત જોતા માં પવન ના સૂસવાટા વાવાઝોડા માં પરિવર્તન થઈ જતાં વૃક્ષો સહિત વીજ પોલ વીજ વાયર અને ખેતર માં લહેરાતો પાક નો સોથ વળી ગયો હતો વીજ વાયર અને વીજ પોલ ને નુકશાન થતાં તાલુકા માં વીજ પુરવઠો ખોરવાતા લોકો રાત્રિ દરમિયાન અંધકાર માં ગોટે વળી ગયા હતા.
અમીરગઢ તાલુકામાં ગત સાંજે પવન ના સૂસવાટા સાથે વરસાદ તુટી પડતાં વીજપોલ વૃક્ષો સહિત ખેતી પાક નો સોથ વાળી દિધો હતો જેથી તાલુકા માં રાત્રિ દરમિયાન અંધકાર છવાઈ ગયું હતું.
અમીરગઢ તાલુકાના વીજ કંપનીના સૂત્રો એ જણાવ્યું હતું કે,રાત્રિ ના વાવાઝોડા થી અંદાજે 10 થી 15 વીજ પોલ સહિત વીજ વાયર ને નુકશાન થયું છે જેથી તાલુકા માં વીજપુરવઠો ખોરવાયો હતો જોકે વીજ પુરવઠો ચાલુ કરવા માટે 23 જેટલી ટીમો કામ કરી રહી છે.
અમીરગઢ તાલુકામાં ગત સાંજે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને જોત જોતા પવન ના સૂસવાટા વાવાઝોડા માં પરિવર્તન થઈ જતાં વૃક્ષો સહિત વીજ પોલ ધરસાય થઈ ગયા હતા જેથી તાલુકા માં અંધકાર છવાઈ ગયું હતું તે ઉપરાંત ખેતર માં લહેરાતો બાજરી સહિત ના પાક નો સોથ વળી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે,ગત સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં મેઘ ગર્જના સાથે વરસાદ તુટી પડતાં તેમજ વાવાઝોડાના લીધે વીજ પોલ અને વાયર ને નુકશાન થયું હતું તે ઉપરાંત અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાઈ જતાં વાહચાલકો પરેશાન થયા હતા.