Breaking: ગુજરાતમાં યુરીયા ખાતરની અછતથી ખેડુતોમાં દોડધામ, ગાંધીનગર ખાતે બોલાવેલી બેઠકમાં કૃષિમંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો સરકાર શું પગલા ભરશે ?

Lok Patrika
By Lok Patrika
Gujarat sarkar
Share this Article

Gujarati News: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં યુરીયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.

કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરીયાત મુજબનો યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે, અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બીનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરીયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા મંત્રીએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય ના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહે તે માટે મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ ગુજકોમાસોલ અને ગુજરાત એગ્રો ઈન્‍ડસ્ટ્રીઝ કોર્પોરેશેનને યુરીયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન અને તેની ચુસ્તપણે અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીએ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મંત્રીએ ખાતર વિતરણ વ્યવસ્થાનું મોનીટરીંગ કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી ખાતાના નિયામક દ્વારા પણ યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેનું અમલીકરણ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઇ રહ્યું છે. ભારત સરકાર સાથે થયેલ યુરીયા ખાતરની ઉપલબ્ધતા બાબતેની સમીક્ષા બેઠકમાં પણ ભારત સરકાર દ્વારા ગુજરાતને ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવા માટે આયોજન કર્યું છે.

હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?

હું પાકિસ્તાન જઈશ તો લોકો મને મારી નાખશે… સીમા હૈદરે કહ્યું- મને યોગીજી અને મોદીજીમાં વિશ્વાસ છે કે….

આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત

ખેતીવાડી ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્રના ધ્યાને ખાતરના ડાઈવર્ઝનના કિસ્સામાં લગત ડીલર કે વિક્રેતાની સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે, અને તેની સામે વિવિધ અધિનિયમ અને એક્ટની જોગવાઈ અનુસાર કાનૂની પગલા પણ લેવામાં આવશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly