ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટે 3 લાખ 1 હજાર કરોડનું બજેટ, અહીં જોઈ લો કયા વિભાગને કેટલા કરોડ ફાળવ્યા, શિક્ષણ અવ્વલ નંબરે

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈએકુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કર્યું. અહીં જુઓ કે કોને કેટલા કરોડ ફાળવવામાં આવ્યા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની
ગૃહવિભાગ માટે 8 હજાર 574 કરોડ રૂપિયા
ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ હેઠળ આવતા પ્રવાસન સ્થળો માટે 640 કરોડ
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયા
વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2 હજાર 193 કરોડ રૂપિયા
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયા
સંકટ મોચન યોજના હેઠળ કુટુંબમા મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે 20 કરોડ
આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડ રૂપિયા
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયા


ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ રૂપિયા
વન- પર્યાવરણ વિભાગ માટે 2 હજાર 63 કરોડની રૂપિયા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19 હજાર 685 કરોડની
શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ રૂપિયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર માટે 565 કરોડ રૂપિયા
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આઠ હજાર 589 કરોડ રૂપિયા
દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડ
પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 277 કરોડ રૂપિયા
કાયદા વિભાગ માટે 2 હજાર 14 કરોડ રૂપિયા
પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા 73 કરોડ
અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ માટે કુલ 2165 કરોડ
પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડ

lokpatrika advt contact


અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડ
એરસ્ટ્રીપ-એરપોર્ટ અને એર કનેક્ટવિટી વધારવા માટે 215 કરોડ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડ રૂપિયા
સામાન્ય વહીવટ વિભાગ માટે એક હજાર 980 કરોડ રૂપિયા
મહેસુલ વિભાગ માટે 5 હજાર 140 કરોડ રૂપિયા
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયા
મનો દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સહાય આપવાની યોજના હેઠળ 60 કરોડ
રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના માટે 58 કરોડ
અનુસૂચિત જાતિ માટે ડો. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે 20 કરોડ
પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર કરોડ રૂપિયા
જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયા

જે પાંચ સ્તંભ પર કામ કરશે સરકારે ત્યાં એટલા એટલા કરોડ ફાળવ્યા

1. ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ
2. માનવ સંસાધન માટે રૂ.4 લાખ કરોડ
3. ગરીબ માટે રૂ.2 લાખ કરોડ
4. કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ
5. ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે રૂ.5 લાખ કરોડ


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly