Gujarat rain Update : ગુજરાત રાજ્યના દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે 24 કલાકમાં 95 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4.84 ઇંચ વરસાદ ખાબક્યો છે.
24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો, ખંભાળિયામાં સૌથી વધુ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપલેટા, જામજોધપુરમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જૂનાગઢ શહેર, પોરબંદરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગરના કાલાવાડ, રાજુલા, રાણાવાવ, કુતીયાણા, ગીર ગઢડા, કેશોદ, વેરાવળ, જામકંડોરિયા, વિસાવદર, તલાલા, ભેસાણ, માળિયા, ધોરાજી, લાલપુર, ખાંભામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપીને સૌરાષ્ટ્ર-કચ્છને ચેતવણી આપી છે. અરબી સમુદ્રમાં બનેલું તોફાની વાવાઝોડું બિપોરજોય જખૌ બંદરથી 280 કિલોમીટર દૂર છે.
વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું
જ્યારે બિપોરજોય વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટરના અંતર પર છે. વાવાઝોડું 15મી જૂનની સાંજે જખૌ બંદર પાસે ત્રાટકવાની સંભાવના છે, બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને ચર્ચા વિચારણા માટે અમદાવાદ મેયરે કોર્પોરેશનના અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.