આ વર્ષે વરસાદ સારો થશે કે ખરાબ? માવઠાંની અસર કેવી રહેશે ? જાણી લો અંબાલાલ પટેલની ચોમાસા અંગે આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

Weather update: અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે ચોમાસાની શરુઆત અરબી સમુદ્રના હળવા દબાણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉભા થનારા દબાણની અસરોને આધારે સંભાવના વ્યક્ત કરી છે.

rain

ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલ (Ambalal patel) દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. તેમણે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં ઉભા થનારા દબાણની અસર થવાની અને કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ માસમાં હિમાલયમાં ભારે હિમવર્ષા થશે તો વરસાદનું ગણિત બગડી શકે છે તેવી શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મેમાં પણ આંધી-વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

rain

કઈ રીતે ખેડૂતોને ફાયદો થઈ શકે છે?

આ સિવાય તેમણે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ છે. જે ઓમાન તરફ ફંટાઈ શકે છે. પણ હવાનું દબાણ મજબૂત હશે તો કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે વરસાદ રહેશે તો ખેડૂતો માટે ફાયદારૂપ થઈ શકે છે.

rain

કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, જો સાનુકૂળ સ્થિતિ બનેશે તો કચ્છમાં 400 મિલિમીટરથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, વાવાઝોડું કેવું છે તેના પર બધો આધાર રહેલો છે. એટલે શરુઆતનું ચોમાસું સારો વરસાદ લઈને આવી રહ્યો હોય તેમ હું માનું છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની અગાઉ પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી હતી.

rain

હિમાલયમાં ભારે હિમવર્ષાની થાય તો શું અસર થશે?

અંબાલાલ પટેલ જણાવે છે કે, એપ્રિલ માસમાં દેશના ઉત્તર પર્વતિય પ્રદેશોમાં, હિમાલયમાં જો ભારે હિમવર્ષા થશે અને મે મહિનો બરાબર ગરમ નહીં રહે તો વરસાદનું ગણિત બગડી શકે છે, પરંતુ બંગાળના ઉપસાગરમાં જોવા જઈએ તો 2 મેથી 15 જૂન વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જેના લીધે વરસાદની સ્થિતિ સારી રહી શકે છે.

21 વર્ષના હતા ત્યારે ભગવાન રામ આવા દેખાતા હતા, શાસ્ત્રોની તસવીરથી એકદમ અલગ તસવીર, જોઈને મન મોહાઈ જશે

સોના ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યાં, એક ઝાટકે એટલો વધારો કે હાજા ગગડી જશે, જાણો એક તોલાના કેટલા હજાર

અનંત અંબાણીની સગાઈમાં 10 મિનિટ પરફોર્મન્સ આપવાના મીકા સિંહે લીધા કરોડો, તમે કહેશો- અંબાણીને લૂંટી લીધા

ખેડૂતોએ આ તૈયારીઓ પણ કરી રાખવી પડશે

આ સિવાય અંબાલાલે 2023ના ચોમાસામાં જુલાઈના મધ્યથી ઓગસ્ટ સુધી વરસાદ ખેંચાવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. આ દરમિયાન ઓછો વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોએ પિયત વ્યવસ્થાઓ પણ કરવી પડશે. જૂન મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ થવાની તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે.


Share this Article