નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી સહાયની જાહેરાત, જગતના તાતનું મુખડું મલકાઈ જશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

ડુંગળી બટાટાને લઈ ગુજરાતથી લઈને આખા ભારતમાં રાડ બોલી ગઈ છે. ત્યારે હાલમાં રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને તો ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એવી જોરદાર મહત્ત્વની જાહેરાત કરી છે કે જગતનો તાત મોજમાં આવી ગયો છે. આ બાબતે રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભે એક કિલોએ રૂપિયા બેની સહાય ખેડૂતને આપવામાં અપાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. 70 કરોડની સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે.

 

રાઘવજીએ આગળ વાત કરી કે સરકાર ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડ ફાળવશે. રાજ્ય અને દેશ બહાર ડુંગળીના નિકાસ માટે 20 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બટાકા અન્ય રાજ્યમાં મોકલવામાં સહાય કરવામાં આવશે. એક ખેડૂતને એક કટ્ટાના 50 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર 600 કટ્ટા સુધી સહાય કરાશે. બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા છે. બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામા આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 50 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન સહાય અપાશે.

રાઘવજીની આગળની સહાય એવી હતી કે રેલવે મારફત બટાકાની નિકાસ કરે તો વાહતના ખર્ચના 100 ટકા અથવા 1150 રૂપિયા પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25% અને 10 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે ખેડુત કે વેપારી દીઠ ટ્રાન્સપોર્ટ સબસીડી આપવામાં આવશે.

BREAKING: 24 કલાક સુધી ગુજરાતીઓ પર માવઠાનો ભારે ખતરો, આ વિસ્તારમાં તો પૂર આવે એવા વરસાદની વકી, જાણો શું નવી આગાહી કરી

એક બાજુ હોળી અને બીજી બાજુ વરસાદ, ગુજરાતના 56 તાલુકામાં માવઠાનો માર, જુઓ ક્યાં કેટલો? નુકસાનનો પાર નહીં!

વડોદરાના આ ધનના દેવતાના મંદિરમાં એકવાર દર્શન કરી આવો, આજીવન બેકારી તમારાથી 15 ફૂટ દૂર રહેશે, પૈસા જ પૈસા હશે!

આ ઓફરની મર્યાદા વિશે વાત કરીએ તો આ સહાય 30 એપ્રિલ સુધી આપવામાં આવશે. આ ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય અપાશે. આ સહાય 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીમાં આપવામાં આવશે. જેના માટે 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે આ સાંભળીને જગતનો તાત પણ હરખમાં છે કે આખરે મહેનત એળે તો નહીં જ જાય.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly