રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી દીધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થઈ રહ્યુ છે અને તેથી આગામી 2 દિવસ રાજ્યમા મેધો ધબધબાટી બોલાવશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શકયતા છે. આ અગાઉ કહેવામા આવ્યુ હતુ કે ગુજરાતમાં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે પણ હવે દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે.
આ જોતા હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજયભરમા વરસાદી માહોલ રહેવાની અને સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. મળતી માહિતી મુજબ હાલ રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
ડિપ્રેશન સક્રિય થતા ગીર- સોમનાથનો દરિયો ગાંડો થયો છે. અહી 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે અનેર મોટા મોટા મોજાઓ ઉછળી રહ્યા છે. ભારે પવવને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે અને અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન થયુ હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
આ સિવાય વાત કરીએ દ્વારકાની તો અહી ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12થી 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ પણ રાખી દેવામા આવ્યું છે. અહી પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આ સિવાય વાત કરવામા આવે રાજ્યમાં 24 કલાકમાં પડેલા વરસાદ અંગે તો ગુજરાતના 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી મેધમહેર વિજયનગરમાં 5.59 ઈંચ જોવા મળી છે. રાજ્યનાઅ 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે.