5 દિવસ સુધી સવારથી સાંજ અત્ર તત્ર સર્વત્ર ગુજરાતમાં વરસાદ દે ધનાધન વરસશે, જાણો ક્યા જિલ્લામાં કેટલો ખાબકશે, જોરદાર આગાહી થઈ

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સાયક્લોનિક સર્ક્‌યુલેશનને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને વલસાડમાં ભારે જ્યારે સુરત અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ પોરબંદર, અમરેલી, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

શુક્રવાર બાદ શનિવારે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું પડતા શહેરીજનોને બફારા અને અસહ્ય ગરમી વચ્ચે રાહત મળી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહીને પગલે શનિવારે જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ અને હજી પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં માણાવદરમાં ત્રણેક કલાકમાં ૪ ઈંચ, વંથલીમાં ૩ ઈંચ અને જૂનાગઢ શહેર-પંથકમાં ૨ ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

સોરાષ્ટ્રમાં લગભગ તમામ જગ્યાએ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. વરસાદી માહોલથી ગિરનાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્‌યો છે. ધોધમાર વરસાદને પગલે પગથિયા પર ધસમસતુ પાણી વહેતું જાેવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર છવાયેલા કુદરતી સૌંદર્યને જાેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં બારેય મેઘ ખાંગા થયા હોય તેમ એક જ રાતમાં ૧૨ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં બે યુવક, ચાર ભેંસ, ૫૬ ગધેડા, પાંચ બકરીના મોત થયા છે.

આંકડા પર નજર કરીએ તો આંકલાવમાં ૭૮મીમી, પેટલાદ અને તારાપુરમાં ૪૨ મીમી, સોજિત્રામાં ૬૪ મીમી જ્યારે આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં અનુક્રમે ૨૮, ૨૧ અને ૨૬ વરસાદ નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા સહિત મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ-નર્મદાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વડોદરા જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચમાં વરસાદ પડ્યો હતો. જેમાં વડોદરામાં અનેક સ્થળોએ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. સુરત શહેર અને જિલ્લામાં મોડીરાતથી એકધારે શરૂ થયેલા વરસાદને પગલે ગણતરીના કલાકોમાં જ ૧૨ ઈંચ વરસાદ થતાં જનજીવન ખોરંભે ચઢ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા, કાપોદ્રા, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત અઠવા અને અડાજણ જેવા વિસ્તારોમાં પણ બેથી ૩ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોડી બની હતી. એટલું જ નહીં, ૧૨ ઈંચ જેટલો વરસાદ પડતાં શેરીઓ, મહોલ્લા અને સોસાયટીમાં રીતસર નદીઓ વહેતી જાેવા મળી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly