Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે હર્ષ સંઘવી જરાય મોડુ ન કરતાં એક્શન મોડમાં આવી ગયાં છે. વાતાવરણને ધ્યાવનમાં રાખીને દ્વારકા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોને ખોરાકને લઈને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
ગઈકાલથી જ દ્વારકાના દરિયામાં તોફાન તેમજ કરંટ જોવા મળ્યો હતો. બીપરજોય વાવાઝોડાની અસરને પહોંચી વળવા મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખંભાળીયા પહોંચ્યા હતાં. ગૃહમંત્રીએ વાવાઝોડાની સ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાત્રે આવતાની સાથે જ અધિકારીઓ સાથે મિટીંગ કરીને આ વાવાઝોડાની અસરને લઈને ચર્ચા કરી હતી. નોંઘનીય છે કે, વાવાઝોડાની અસરને લઈને દ્વારકા જિલ્લાની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે.
Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી
‘બિપરજોય’ વાવાઝોડાએ ભલભલાના ધબકારા વધારી દીધા, 6 જિલ્લામાં સૌથી વધારે ઘાતક ખતરો, મેઘરાજા તૂટી જ પડશે
વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ
જોકે, પંદર જૂનની બપોર ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની સંભાવના તેમજ દ્વારકાના વાતાવરણને ધ્યાનમાં લઈને નાગરિકોને 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે હર્ષ સંઘવીએ લોકોને પૂરતો સહયોગ આપવા માટે પણ અપીલ કરી છે.