પત્નીનો ભાંડાફોડ, પતિ રોજ કામ કરવાં ઘર બહાર જતાં રહે, પછી એકલતા અનુભવતી પત્ની મોકાનો લાભ લઈને ઘરમા…..

Lok Patrika Desk
By Lok Patrika Desk
wife
Share this Article

પતિ પત્ની વચ્ચેના પ્રેમના ઘણા એવા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે જેમાં પતિ કે પત્ની એક બીજા વગર ના રહી શકતા હોય. પરંતુ કામ માટે ઘરથી બહાર પતિએ જવું પડે અને પત્ની ના રહી શકે તો પછી તે ના કરવાની કરી બેસતી હોય છે. આવું જ કંઈક શાપરમાં સામે આવ્યું છે. જ્યાં પતિ કામ અર્થે 4 દિવસથી ઘરથી બહાર હતો. તેથી પત્નીને એકલતા અનુભવતા તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

wife

હાલ તો પત્નીની તબિયત સુધારા પર છે

પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષની ઉંમરના શિલ્પાબેન જીજ્ઞેશભાઇ મારું શાપર પાસે આવેલ પડવલા માં વસવાટ કરે છે. ગત રોજ તેઓ પોતાના ઘેર એકલા હતા તે દરમિયાન તેમણે ફીનાઈલ ઘટઘટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને ઓગળે તેમને તાત્કાલિક અસરથી શાપરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. અને ત્યાં જઈને આપઘાત કરનાર મહિલાના પતિની પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ

ગુજરાતના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા, વાહનો અટવાયા, કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ, દરેક જિલ્લામાં મુસીબતનો પાર નહીં

આ વર્ષે ગુજરાતમા કેટલો અને ક્યાં સુધી વરસાદ પડશે, કેવુ રહેશે ચોમાસું? વરતારો જાણીને ચોંકી જશો, આ રીતે નકકી થાય

પતિએ આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, દોઢ જ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. અને તેઓ બંને પતિ પત્ની પડવલામાં સાથે જ મજુરી કામ કરતા હતા. દરમિયાન પતિ કામ અર્થે ચાર દિવસથી ઉના ગયા હતા જેના કારણે પત્ની એકલતા અનુભવતી હતી. જેથી પત્નીએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. તમને જણાવી દઈએ કે આપઘાત કરનાર પરિણીતાની તબિયત હાલ સુધારા પર હોવાના કારણે તેને હોસ્પિટલથી રજા અપાઈ હતી.


Share this Article
TAGGED: , ,