Cricket News: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બર બુધવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની બંને વનડે શ્રેણી જીતી લીધી છે. હવે ત્રીજી વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ઓપનર શુભમન ગિલ અને ઝડપી બોલર શાર્દુલ ઠાકુર ત્રીજી વનડેમાંથી બહાર થઈ શકે છે.
અહેવાલ મુજબ ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને આરામ આપવા પર વિચાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગિલ અને શાર્દુલ ત્રીજી વનડે માટે ટીમ સાથે રાજકોટ નહીં જાય, બલ્કે બંને ગુવાહાટીમાં ટીમ સાથે જોડાશે. વર્લ્ડ કપ પહેલા રમાનારી વોર્મ-અપ મેચમાં ભારત તેની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ સામે ગુવાહાટીમાં રમશે. જો કે ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ લીગ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.
ગિલે બીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગીલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગિલે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી. ગીલની ODI કારકિર્દીની આ છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ સદી હતી.
આ સંભવિત ફેરફારો હોઈ શકે છે
મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, જે બીજી વનડેમાં રમ્યો ન હતો, તે ત્રીજી મેચમાં વાપસી કરશે. શાર્દુલની જગ્યાએ બુમરાહને રમાડવામાં આવી શકે છે. આ સિવાય નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં ભારતીય ટીમમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ગિલની ભરપાઈ કરશે. ગિલના સ્થાને કેપ્ટન ઓપનિંગમાં હશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો
5 દિવસની વરસાદની નવી આગાહીથી ગુજરાતીઓ ઘેરી ચિંતામાં પડ્યાં, જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ ખાબકશે!
ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.