અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગુરુવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે સોમનાથ મંદિરના પ્રસિદ્ધ 51 સોનાના કળશની પૂજા કરી હતી. આ સાથે જ અંબાણી પરિવાર વતી ચાંદીના વાસણોનું દાન કરવામાં આવ્યું હતું.
અનંત અંબાણીએ સોમનાથ મંદિરને દાનમાં આપેલા ચાંદીના વાસણોની કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે. સોમનાથ મહાદેવની રોજીંદી પૂજામાં આ ચાંદીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે.
સોમનાથ મંદિરના પુનરુત્થાનમાં દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો છે. આ મંદિરના નવા સંકુલનો શિલાન્યાસ 1950માં કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર વિશે એવું કહેવાય છે કે આરબ પ્રવાસી અલ-બિરુનીએ તેના પ્રવાસ વર્ણનમાં તેની વિગતો લખી હતી, જેનાથી પ્રભાવિત થઈને મહમૂદ ગઝનવીએ વર્ષ 1025માં મંદિર પર હુમલો કર્યો હતો.
ગઝનવીએ મંદિરની સંપત્તિ લૂંટી લીધી અને તેનો લગભગ નાશ કર્યો. તે હુમલાની તીવ્રતા વિશે, એવું કહેવાય છે કે ગઝનવીએ લગભગ 5,000 લોકો સાથે સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. તે સમયે મંદિરની રક્ષા કરતી વખતે હજારો લોકો નિઃશસ્ત્ર મૃત્યુ પામ્યા હતા.
આ સાથે વાત કરીએ અબાણી પરિવારની તો દેશમાં જલ્દી જ Jio 5G સર્વિસ શરૂ કરવા જઈ રહેલા મુકેશ અંબાણી થોડા દિવસો પહેલા રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. મુકેશ અંબાણી પરિવાર શ્રીનાથજીના મંદિરે પણ ગયા હતા. મંદિર પહોંચ્યા બાદ તેમણે શ્રીજીની સાંજની આરતી જોઈ, ત્યાર બાદ રિલાયન્સના ચેરમેન બેઠકમાં પહોંચ્યા. અહીં ગોસ્વામી વિશાલ બાવાએ મુકેશ અંબાણીને રજાઈ ઓઢાડીને અને શ્રીનાથજીને પ્રસાદ ચઢાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
અંબાણીએ આ દરમિયાન તિલકાયત પુત્ર વિશાલ બાવા સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તેઓ કાર દ્વારા ધીરજ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે થોડો સમય આરામ કર્યો. નોંધપાત્ર રીતે અંબાણી પરિવાર શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય કે પરિવારમાં નવી કંપનીની શરૂઆત હોય, દરેક પ્રસંગોએ તેઓ નાથદ્વારા પહોંચીને શ્રીનાથજીના આશીર્વાદ લે છે. મુકેશ અંબાણીની મુલાકાતને લઈને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.