Politics News: લોકસભા ચૂંટણી પહેલા તમામ પક્ષોમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. મોરબીમાંથી કોગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો આજે ભાજપમાં જોડાશે. મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા બાદ આગેવાનો અને કાર્યકરો આજે ભાજપનો ખેસ ધારણ કરવા જઇ રહ્યા છે. ત્યારે બીજા મોટા સામાચાર સામે આવ્યા કે કોંગ્રેસ પક્ષનાં કદાવર નેતા નારણ રાઠવાએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.
વિગતો મળી રહી છે કે નારણ રાઠવાના પુત્રએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી દીધું હતું. રાજીનામાં બાબતે કારણ આપતા જણાવ્યું હતું કે, પક્ષમાં રજૂઆતો માટે કોઈ સાંભળતું નથી અને આ તરફ વડોદરા જીલ્લા કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે નારણ રાઠવા તેમનાં પુત્ર તેમજ 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કમલમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કરીને બધાને જોતા રાખી દીધા હતા.
તેમનું કહેવું છે કે વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા છીએ. કોંગ્રેસમાં રહીને કામો થતા ન હોવાનો નારણ રાઠવાએ ખુલાસો કર્યો હતો. કોંગ્રેસમાં હતા ત્યારે ધીમી ગતિએ કામ થતા હતા. ભાજપમાં આવ્યા બાદ વિકાસનાં કામો ઝડપી થશે.