Canada–India relations : ભારત-કેનેડા વિવાદ વકર્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. ખાલિસ્તાનને સમર્થન આપવા બદલ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારે ટીકા થઈ રહી છે. તો બે દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિન્દુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યું હતું. જે બાદમાં ભારતથી કેનેડા અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે, ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યા બાદ પણ કેટલાક ગુજરાતીઓએ કેનેડા જવા માટે ઈચ્છા દર્શાવી છે.
કેનેડા જવાની ઈચ્છા વ્યક્ત કરી
આજે ન્યૂઝની ટીમ અમદાવાદના વિઝા સેન્ટર ખાતે પહોંચી હતી, જ્યાં હાલની સ્થિતિને જોતા વિઝા એપ્લાયર સાથે વાત કરી હતી. આ દરમિયાન અમદાવાદ સ્થિત કેનેડા વિઝા સેન્ટર પર લોકોએ હજુ પણ કેનેડા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘અમને વિઝા મળશે તો અમે જરૂરથી કેનેડા જઈશું.’
હાલના સ્થિતિને લઈને શું કહી રહ્યા છે વિઝા એપ્લિકેન્ટ?
આ દરમિયાન અમદાવાદની શેલજા નામની યુવતીએ જણાવ્યું હતું કે, ‘માહોલ કઈ એવો જણાતો નથી, અત્યારે કેનેડામાં માહોલ શાંતિપૂર્વક જ છે. વિઝા મળશે તો હું કેનેડા જઈશ.’ નિધિ નામની યુવતીએ જણાવ્યું હતું કે, મને વિઝા મળશે તો હું પણ કેનેડા જઈશ.
અમારો પરિવાર ત્યા જ છે, અત્યારે માહોલ શાંતિપૂર્વક છેઃ કામાક્ષી પંડ્યા
તો કામાક્ષીબેન પંડ્યા નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમારા વિઝા આવી ગયા છે, અમે અહીંયા પાસપોર્ટ સબમિશન માટે આવ્યા છીએ. મારી બંને દીકરીઓ તેમના જમાઈ સાથે કેનેડામાં જ છે. જે પ્રમાણે વાતચીત થઈ રહી છે, તે પ્રમાણે ત્યાં ચિંતા જેવું કઈ છે જ નહીં. માતા-પિતાને ખાસ કહેવાનું કે ચિંતા ન કરો ત્યાં આપણા બાળકો સુરક્ષિત છે.
કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો
આંધી તોફાન સાથે ભારે વરસાદની શક્યતા, IMD એ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જણાવ્યું
વાલીઓમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે, ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. અત્યારે કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ છે, આ ઉપરાંત ત્યાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનો માહોલ છે. જોકે, આ વિદ્યાર્થીઓ ભારતના પગલા સાથે સંપૂર્ણ રીતે સંમત છે. એક રિપોર્ટ અનુસાર, બ્રેમ્પટનમાં રહેતા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થી સમુદાયમાં ખાલિસ્તાની ધમકીઓ અને તેના પર ટ્રુડોના વલણની જ ચર્ચા છે.