Exclusive: ગુજરાતનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. ધીરેન શાહે જણાવ્યા હાર્ટ એટેકના કારણો, દરેક લોકોને ચેતવાનો સમય આવી ગયો

Lok Patrika
By Lok Patrika
Share this Article

અલ્પેશ કારેણા ( અમદાવાદ ): ફાઉન્ડિંગ ડાયરેક્ટ ઓફ સિમ્સ હોસ્ટિપલ ડોક્ટર ધીરેનભાઈ શાંતિલાલ શાહ એટલે કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતના પ્રખ્યાત ડો. ધીરેન સાહેબ. આ નામ હવે કોઈ માટે અજાણ્યું નથી. જેમણે અત્યાર સુધીમાં 15,000 કરતા પણ વધારે હાર્ટના ઓપરેશન કર્યા છે અને 45 જેટલા સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. ગુજરાતમાં સૌથી પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ ડોક્ટર ધીરેન સાહેબે જ કર્યું હતું. ત્યારે હવે લોક પત્રિકા દૈનિક સાથેની ખાસ વાતચીતમાં ધીરેન શાહે ખાસ કરીને યુવાનોમાં આવતા હાર્ટ એટેકના કારણો જણાવ્યા છે.

સિમ્સ હોસ્ટિપલના ફાઉન્ડિંગ ડાયરેક્ટ ડોક્ટર ધીરેન શાહ જણાવે છે કે 2010માં જ WHOએ એવું કહ્યું હતું કે ભારતમાં હદૃયની તકલીફોના દર્દીઓ આવતા સમયમાં વધશે અને ખરેખર એવું જ થયું. 2020મા આખા વિશ્વના હાર્ટના દર્દીઓમાથી ખાલી 50 ટકા દર્દીઓ તો ભારતના જ હતા. આપણા ભારતના લોકોની તાસીર જ એવી છે કે હદૃયની તકલીફો પહેલાથી જ વધારે છે.

એવું નહોતું કે પહેલા હાર્ટ એટેકના કે હદૃયના દર્દીઓ ભારતમાં ઓછા હતા. પરંતુ હાલમાં સોશિયલ મીડિયાનો યુગ છે એટલે કેસ બધારે બહાર આવે છે અને લોકો સુધી જાય છે. પહેલાંથી જ ભારતમાં આ તકલીફ વધારે પ્રમાણમાં છે કારણ કે આપણી તાસીર જ એવી છે. પરંતુ હવે બહાર આવે છે અને ઘરે ઘરે પહોંચી જાય છે.

ભારતમાં અને ખાસ ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધવાના કારણે વિશે ડોક્ટર ધીરેન શાહ એવું જણાવે છે કે એક તો પહેલાથી જ આપણી તાસીર એવી છે એમાં પણ હવે ભારતીયોની લાઈફસ્ટાઈલ વેસ્ટર્ન થવા લાગી છે. ભારતમા લોકોએ પોતાની જીવનશૈલી સંપૂર્ણપણ બદલી નાખી છે જેના કારણે આવા કેસ વધારે સામે આવે છે. શરીરમાં પહેલાથી જ બંદુક અને ગોળી ભરેલી જ છે. એમાં આ બદલાતી જીવનશૈલીએ ટ્રિગરનું કામ કર્યું અને બંદુક ફૂટવાના કિસ્સા વધી રહ્યા છે.

ડોક્ટર ધીરેન શાહ જણાવે છે કે દેશ ડેવલોપ થતો જાય છે એમ એમ બિમારીઓ વધતી જાય છે. પહેલા ટીબી, તાવ, મલેરિયા આ બધા રોગ હતા હવે જીવનશેલી બદલતા હાર્ટ એટેકના કિસ્સા એવા જ સામાન્ય બની ગયા છે. પહેલા જ આગાહી હતી એટલે હજુ પણ કિસ્સા વધશે એમાં કોઈ શંકા નથી. પરંતુ જો જીવનશૈલી બદલાશે અને સરકાર કંઈક પગલા લે તો નિવારી શકાય એમ છે.

હાલમાં કારણો વિશે ચર્ચા કરીએ તો આપણી જીવનશૈલીમાં ખાવા પીવાનું બગડ્યું છે. જંક ફૂડનો ફેલાવો અને શોખ બિમારીનું ઘર બનાવી રહ્યું છે. લોકોમા હાલમાં શારીરિક નબળાઈ જોવા મળે છે. કોઈને કામ સિવાય એક ડગલું પણ નથી ચાલવું. ઓનલાઈન જમાનો આવી ગયો એટલે લોકો શારીરિક કસરત સાવ ભૂલી જ ગયા છે. આળસુના પીર થઈ ગયા છે જેના કારણે શારિરીક નબળાઈ આવી ગઈ અને એ પણ હાર્ટ એટેકમાં ફાળો ભજવે છે.

લોકો હવે બહાર મેદાનમાં રમવા જવાનું ભૂલ્યા છે. ટેક્નોલોજીએ માણસને પાંગળો કરી દીધો. ડાયાબિટીસમાં પણ ભારત પહેલા નંબર છે અને એક વાત સીધી છે કે ડાયાબિટીસવાળાને હદયની બિમારી આવે આવે અને આવે જ. આ સિવાય વાત કરીએ તો લોકોને સ્ટ્રેસ લેવલ ઘણા પ્રકારે ઈફેક્ટ કરે છે. કોઈને પ્રોફેશનલ સ્ટ્રેસ હોય તો કોઈને પર્સનલ સ્ટ્રેસ હોય. કોઈને પરિવારનું તો કોઈને દેખાદેખીનું સ્ટ્રેસ આવી જાય છે. કોઈને વધારે પડતી આશાનું તો કોઈને વધારે પડતા વિશ્વાનું અને કોઈને વધારે પડતા કામનું સ્ટ્રેસ છે. આવા અનેક પ્રકારના સ્ટ્રેસથી માણસ ઘેરાયેલો રહે છે અને જેના કારણે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!

ભારતના દબાણ પછી કેનેડાને તાત્કાલિક પગલા લેવા પડ્યાં! મોટાભાગના રાજદ્વારીઓને સિંગાપોર અને મલેશિયા મોકલી દીધા

તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?

ડોક્ટર ધીરેન શાહ જણાવે છે કે આપણા શરીરમાં હદૃય સૌથી સેન્સેટિવ છે. આપણા દરેક કાર્યની અને દરેક વિચારની સીધી જ અસર હદૃય પર થતી જોવા મળે છે. તમે હસો કે રડો કે ખાઓ કે પીઓ… તમારા જીવનશૈલીની એક એક વસ્તુ હદૃયને અસર કરે છે. આવા બધા કારણોના લીધે હાલમાં ભારત અને ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે અને લોકોના મોત થઈ રહ્યા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly