ગુજરાતમાં વરસાદના કારણે ઠેર-ઠેર પાયમાલી, નેશનલ હાઈ-વે, હાઈ-વે… 1000 કરતાં વધારે રસ્તાઓ બંધ, 83 મોત અને બીજું પણ ઘણું વેર-વિખેર થયું

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ અત્યાર સુધી ૮૩ લોકોના મૃત્યુ થયા છે. જેમાના ૧૪ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં જ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી અલગ-અલગ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની ૧૮ અને જીડ્ઢઇહ્લની ૨૧ ટીમ તૈનાત છે. અત્યાર સુધી ૩૧ હજાર ૩૫ લોકોનું સ્થળાંતર કરાયું, જેમાંથી ૯ હજાર ૮૪૮ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે.

વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે, ૪૮૩ પંચાયત હસ્તકના રસ્તા મળી ૫૩૭ માર્ગો સુરક્ષાને ધ્યાને રાખી હાલ બંધ છે. તો કચ્છમાંથી પસાર થતો નેશનલ હાઈ-વે ૪૧ તેમજ નવસારી- ડાંગ હાઈ વે બંધ છે, જેને ઝડપથી ચાલુ કરાશે. તો મુખ્યમંત્રીએ ડેશ બોર્ડના માધ્યમથી સતત બીજા દિવસે વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી. જ્યાં કોઝવે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના પરથી વાહનચાલકો પસાર ન થાય તે માટે પોલીસફોર્સનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. સાથે જ વરસાદથી નુકસાનીનો ઝડપથી સર્વે કરી સહાય ચૂકવવા સૂચના આપી છે.

તે સિવાય સરકાર વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને ૪-૪ લાખની સહાય આપશે. રાજ્ય સરકાર પાંચ મૃતકોના વારસદારોને સહાયની ચૂકવણી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકોના વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ૫૧ સ્ટેટ હાઇવે, ૪૮૩ પંચાયતના રોડ સાથે કુલ ૫૩૭ માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. નેશનલ હાઇવે ૪૧, નવસારી હાઇવે ૬૪ બંધ કરાયા છે. ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ બંધ કરાયો છે.

એસટીના ૧૩૮ રૂટ બંધ કરાયા છે જે પૈકી ૧૪ને ફરીથી કાર્યરત કરાયા છે. ૭૬૯ ગામોમાં બંધ થયેલ વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે. એસડીઆરએફની ૨૧ અને એનડીઆરએફની ૧૮ ટીમો અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજ્યમાં આજે સવારથી અત્યાર સુધી ૧૧૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે વલસાડના કપરાડામાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદામાં ૫ ઈંચ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના આહવા અને તાપીનાડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો..વિસાવદર, ધરમપુર, કોડીનારમાં સાડા ૩ ઈંચ, ઉનામાં ૩ ઈંચ, ઉમરગામ, પારડી, ખેરગામમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. તો વાપી, વેરાવળ, જામ કંડોરણા, નવસારી, ધારી, મહુવામાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો. તો નવસારીના જલાલપોર, ચીખલી, પલસાણામાં પણ પોણા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly