Gujarat News: સોમવાર તા. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરઓ તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ અંગે પત્ર પાઠવીને તેમના સંબંધિત વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા સૂચનાઓ આપી છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે અને રામલલા ગર્ભગૃહમાં બિરાજશે.