Gujarat News: નિલેશ કુંભણી નામ હાલમાં આખા દેશમાં ચર્ચાનો વિષય છે. કારણ કે સુરતમાં તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને ત્યારબાદ ભાજપ બિનહરીફ રીતે 2024ની લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. ત્યારે હવે એક નવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણીને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
એ જાણીતું છે કે નિકેશ કુંભણીએ ફોર્મ રદ થવામાં નિષ્કાળજી દાખવી હતી અને ભાજપ સાથે મેળાપનું હોવાથી શિસ્ત સમિતિએ નિર્ણય લીધો છે. શિસ્ત સમીતીએ વાત કરી કે સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કરેલ નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપની પ્રથમ બિનહરીફ જીત સમગ્ર દેશમાં હેડલાઇન્સ બનાવી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ગાયબ થવું ચર્ચાનો વિષય છે. નિલેશ કુંભાણી ક્યાં છે? કોંગ્રેસના નેતાઓ પાસે આ સવાલનો જવાબ નથી, પરંતુ સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પતિ ગુમ નથી. તે પોતાના વકીલ સાથે આ સમગ્ર મામલો ઉઠાવવાની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
નીતા કુંભાણીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ષડયંત્ર દ્વારા નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કેટલાક નેતાઓ આમાં સામેલ છે અને ટિકિટ મળવાના કારણે નિલેશથી નારાજ હતા. બીજી તરફ સુરતમાં બિનહરીફ થયેલી ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીએ ગુજરાત ચૂંટણી પંચના સીઈઓ પી ભારતીને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને જશે.