આખા ગુજરાતને ધ્રુજાવી નાખનાર અને 9 લોકોના હત્યારા તથ્યને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્યએ 15 દિવસ પહેલા પણ અમદાવાદમાં અકસ્માત સર્જ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, તથ્યએ 3 જુલાઇએ અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુભવનની એક રેસ્ટોરન્ટમાં થાર ઘુસાડી દીધી હતી. સમગ્ર ઘટનામાં રેસ્ટોરન્ટની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી.
હત્યારા તથ્યએ સર્જેલા આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે, જો કે 15 દિવસ પહેલા સર્જેલા અકસ્માતમાં જો તથ્ય સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ 9 લોકોના જીવ બચી ગયા હોય તેવી લોકોએ હૈયાવરાળ ઠાલવી હતી.
15 દિવસ પહેલા સર્જેલા અકસ્માત બાદ પણ હત્યારા તથ્યને તેના પિતાએ કોઇ ઠપકો આપ્યો ન હોવાનું માલુમ પડે છે. કારણ કે તથ્યના હાથે વારંવાર બેફામ ડ્રાઇવિંગ અને ઓવરસ્પિડિંગના માત્ર 15 દિવસમાં જ 2 બનાવો સામે આવ્યા છે, તથ્યને ન પૈસા, ન તો જાનમાલ અને ન તો લોકોના જીવનની ફીકર છે, તેવું સાબિત થાય છે.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
15 દિવસ પહેલા રેસ્ટોરન્ટમાં થાર ઠોક્યા બાદ માલિક સાથે તથ્યએ સમાધાન કરી લીધું હતું. ત્યારે પિતાની લાગવગ અને પૈસાના જોરે બેફામ બનેલા અને 9 લોકોનો પળવારમાં જીવ લેનાર કપૂત સામે ધાક બેસાડતી સજા કરવાની માગ ઉઠી રહી છે.