પ્રેમી પંખીડાના અવનવા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હવે ભાવનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના રાજપરા રેલવે સ્ટેશન પાસે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવે છે. સિહોર નજીકના રાજપરા ગામે યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. બંને મૃતક સગીર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા ફફડાટ મચી ગયો છે. બંને સગીર પ્રેમી પંખીડા એક જ ગામના હોવાનું સામે આવ્યુ છે. બંનેની લાશને પીએમ અર્થે સિહોર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કેટલાક સમય પહેલા ભાવનગરના મહુવામાં મોટી કરુણાંતિકા બની હતી. બાળકોને લઈ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. સ્કૂલેથી ઘરે જતા સમયે ત્રણ બાળકો વાડીમાં બાજુમાં રાખેલા ખુલ્લા વીજ વાયરને અડકતાં ત્રણેયને કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વાડીના ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની આજુબાજુના વાડીના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડીને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકો મોતને ભેટી ચૂક્યા હતાં.
સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે
સવારે સ્કૂલમાં ગયા બાદ ઘરે પરત જવા માટે બાળકો ખેતરમાં પહોંચ્યા ત્યારે વાડીની બાજુમાં રાખેલા વીજળીના ખુલ્લાં વાયરને અડી જતા એક પછી એક ત્રણેય બાળકોને કરંટ લાગ્યો હતો. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.