જાગે ત્યારે ભાગે…. આખા દેશમાં લીરેલીરા થઈ ગયા બાદ હવે પોતાની આબરુ બચાવવા માટે ગુજરાત પોલીસ દારુના અડ્ડા પર રીતસર તૂટી પડી

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાજ્યમાં બે દિવસ પહેલા ભાવનગરના બરવાળામાં લઠ્ઠાકાંડમાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે. જે બાદ ચૂંટણીના આ વર્ષમાં પોતાની આબરુ બચાવવા રાજ્ય સરકારમાં ઉપરથી કડક કાર્યવાહી કરવાના આદેશના દબાણ હેઠળ સમગ્ર રાજ્યમાં પોલીસ દેશી દારુના ધંધો કરનારા અને બનાવનારાઓ પર રીતસર તૂટી પડી છે. દેશના તમામ સમાચારોમાં લઠ્ઠાકાંડના કારણે મથાળે ચમકનાર ગુજરાત પોલીસે પોતાની આબરુ બચાવવા માટે રાજ્યમાં દેશી દારુ બનાવનારા ઉપર રેડ પાડવાનું શરું કર્યું છે, જ્યારે બીજી તરફ સતત એવા આરોપ લાગી રહ્યા છે કે આવા અનેક દેશી ઠેકાઓ પોલીસની જ રહેમનજર હેઠળ ચાલતા હોય છે.

એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યના મોનિટરિંગ સેલ દ્વારા મંગળવારે એક જ દિવસમાં અમદાવાદ અને ખેડા જિલ્લમાંથી જુદી જુદી જગ્યાએથી ૮૦૭ લિટર દેશી દારુ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ ટીમના જણાવ્યા અનુસાર અમદાવાદ નજકી આવેલા કઠલાલના સાંદેસર ગામમાંથી પોલીસે ટીમે ૬૫૧ લિટર દારુ અને ૨૪૨૦ લિટરનો કાચો માલ મળી આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં નામચીન બુટલેગર ઉદેસિંહ ડાભીની ધરપકડ કપણ કરી છે. તેવી જ રીતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ નજીક આવા દારુ બનાવતા અડ્ડા પર પણ રેડ પાડવામાં આવી હતી અને ૧૫૬ લિટર દારુ જપ્ત કર્યો હતો. તેમજ સ્થળ પરથી બે વોન્ટેડ બૂટલેગર અનવર મોવાર અને મંજુરુલ હસનની ધરપકડ પણ કરવામાં આવી હતી.

બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચની પ્રિવેન્શન ટીમે ગીતા મંદિર પાસેના કંટોડિયાવાસમાં રેડ પાડી હતી. અમદાવાદનો આ વિસ્તાર કંટોડિયાવાસ ૨૦૦૯ના લટ્‌ઠાકાંડની દુર્ઘટનાનું કેન્દ્ર હતું જેમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા. શહેર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે અને બુધવારે સાંજની વચ્ચે પોલીસે ૩૫૧ લિટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ દુર્ઘટના સામે આવી તે પહેલા સોમવાર રાતથી મંગળવાર સાંજ સુધીમાં માત્ર ૩૭ લીટર જેટલો દેશી દારૂ ઝડપાયો હતો. સુરતમાં, મંગળવારે તાપી કિનારે દેશી દારૂનો દંધો હજુ પણ ચાલુ હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો, જે બાદ મંગળવારે પોલીસે આવી કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

”પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં દારૂની બદી સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે બુટલેગિંગને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ છે.” તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. પોલીસે મંગળવારે દેશી દારૂ વેચવા બદલ દરોડા પાડી ૧૨૮ લોકોની ધરપકડ કરી હતી. કુલ ૧૨૫ કેસ નોંધાયા હતા અને ૨૫,૬૪૦ રૂપિયાની કિંમતનો ૧,૨૮૨ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવા જ દરોડા અને ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે લઠ્ઠાકાંડની કમનસીબ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક ઉચ્ચ-સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને દારૂ અને અન્ય નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. સીએમઓ તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે પટેલે પોલીસને દારૂ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ સામે સઘન અને સતત અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly