Gujarat News: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય, તે દિશામાં જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરી રહ્યું છે.
વાત છે, અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના વાલીન્દા ગામના ખેડૂત કરશનભાઈ ચૌહાણની કે જેમણે પ્રાકૃતિક ખેતી આપનાવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી મેળવી છે.
વર્ષ 2020થી પ્રાકૃતિક ખેતીના માર્ગે ચાલી રહેલા ખેડૂત કરશનભાઈ ચૌહાણ પોતાના ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતના આધારે બિનપિયત જુવાર અને સુવાદાણાનું વાવેતર કરી ઉત્પાદન કરી રહ્યા છે. કરશનભાઈ ચૌહાણ પોતાના 15 વિઘા જેટલા ખેતરમાં વાર્ષિક સરેરાશ 800 મણ બિનપિયત જુવારનું ઉત્પાદન કરી સારી એવી કમાણી મેળવે છે. આ ઉપરાંત અમુક ભાગોમાં પ્રાકૃતિક રીતે સુવાદાણાનું પણ ઉત્પાદન કરી બજારમાં સારા ભાવે વેચે છે.
ખેડૂત કરશનભાઈ ચૌહાણે સૌ પ્રથમ આત્મા દ્વારા યોજાયેલ કૃષિ વિષયક તાલીમમાં ભાગ લઈ પ્રાકૃતિક ખેતી વિશેના ફાયદા અને વિસ્તૃત જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ અચંબિત થયા હતા અને પોતે પણ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવશે તેના માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.
ખેડૂત કરશનભાઈ ચૌહાણની સિદ્ધિ વિશે વાત કરીએ તો, આજે તેઓ પોતે ધોલેરા તાલુકાના 11 જેટલા ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવા જાય છે અને ખેડૂતોને રસાયણમુક્ત ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા ખેડૂત કરશનભાઈ ચૌહાણ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી કરીને પાકના ઉત્પાદન અને આવક બંનેમાં વધારો થયો છે. સાથે સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. તેમણે સૌ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જમીનને રસાયણમુક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી તરફ અવશ્ય વળવું જોઈએ.