Gujarat News: ગુજરાત સહિત ભારતભરમાં કેટલાક લોકો પી.એચ.ડી ની ડીગ્રી માટે પણ ભૂતિયા લોકો પાસે થીસીસ તૈયાર કરાવતા હોવાના અને કેટલાક ગાઇડો રૂપિયા અને બીજા મનોરંજનના બદલામાં પી.એચ.ડી ડીગ્રી મંજુર કરતા હોવાના સમાચારો મીડીયામાં આવતા હોય છે. કેટલાક રાજકીય નેતાઓના સાહિત્યક પુસ્તકો – કવિતાઓ રૂપિયા લઇને ભૂતિયા લેખકો લખી દેતા હોવાના સમાચારો પણ અવાર-નવાર મીડીયામાં આવેલા છે. હવે સાહિત્ય જગતમાં પણ આવુ બનવાની શરૂઆત પણ કરી હોવાનું કેટલા સાહિત્ય વર્તુળમાં ચર્ચાય છે. ૪૫ વર્ષ સુધી સાહિત્ય કે કવિનો ‘ક’ નહી જાણનાર મહિલા સાહિત્યકારે ૫૬ વર્ષ બબ્બે પુસ્તકોના વિમોચન યોજ્યા ત્યારે સાચા સંનિષ્ઠ સાહિત્યકારો અને કવિઓ મરક-મરક હસતા પોતાના જ સાહિત્ય જગતની આવી અવદશા જોઇને રડતા હોય છે. જો કે હવે તો સાહિત્યકારની અને કવિઓની બેનામી હાટડીઓ ફાટી નીકળે તો નવાઇ નહીં લાગે.”
૫૬ વર્ષની સામાન્ય બી.કોમની ડીગ્રી ધરાવતા અને સામાન્ય બુદ્વિ આંક ધરાવતી મહિલા જે લાંબા વર્ષોથી આપના એક નેતા કેમ બિલ્ડર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેમણે પોતાની ‘લિખીત’ (??) કવિતા સંગ્રહ અને સાહિત્યના પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કરેલ છે.
અમદાવાદ માં રહેતા હોવા છતાં ગાંધીનગર ખાતે ‘રહસ્યમય’ કારણોસર વિમોચનના કાર્યક્રમનું આયોજન કરતા ગાંધીનગરના ધારાસભ્યે વિમોચન પ્રસંગે છેલ્લી ઘડીયે ગેરહાજર રહીને ચોક્કસ નિર્દેશ આપી દીધો હતો. આમ આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો જ ગણાય. જેટલા આમંત્રણ કાર્ડ આપવામાં આવેલા તેમાંથી લગભગ માંડુ ૨૫% જ હાજર રહેલા હતા. કેટલાક મકાન ભાવો તો ગાંધીનગરના બે પ્રતિષ્ઠિત વ્યક્તિ આવવાના છે તેમ માની આવેલ અલબત્ત આ બે મિત્રોએ પણ ધારાસભ્યની જેમ ગેરહાજર રહેવાનું મુનાસીબ માનેલ. સૌથી વધુ હાસ્યાસ્પદ અને કાર્યક્રમના ફિયાસ્કાની વાત એ છે કે મોટે ઉપાડે જે વ્યક્તિને ખાસ મુખ્ય અતિથી બનાવેલા અને બેનરમાં પણ નામ લખેલ તે જ આવ્યા નહીં! સાહિત્ય જગતમાં ચાલતી ચર્ચા મુજબ આ ખાસ અતિથી વિમોચન પ્રસંગે એટલા માટે આવ્યા નહીં કે ૫૬ વર્ષની મહિલા દ્વારા જે લેખો અને કવિતાઓ લખાયેલી છે. તે તદ્દન ભંગાર અથવા ડી-ગ્રેડની લાગી. આ ખરેખર સાચુ હોય તો હવે સાહિત્ય અને કવિતાઓ પણ રૂપિયાઓ બીજા મનોરંજનથી મારફત પોતાના નામે કરી શકાય છે તેવો નિર્દેશ આપી દીધો છે.
સૌથી ગંભીર બાબત એ છે કે બીજા મુખ્ય અતિથી લગભગ ૧૯૪૫માં જન્મેલા હતા અને તેઓ લેખક ગણાય છે. અને ભુતકાળમાં શંકરસિંહની સરકારમાં બા કાયદા હોદ્દેદાર હતા અને પછી પાટલી બદલુ તરીકેની છાપ મજબુત કરવા ભાજપમાં જોડાઇ ગયેલા છે. અલબત્ત તેમાં હવે કોઇ શરમ રહી નથી અને આવું નફફટાઇ પણું સામાન્ય ગણાય છે. પરંતું ઘૃણાસ્પદ બાબત એ છે કે તેઓ જ્યારે સાહિત્ય અકાદમીમાં હતા. ત્યારે હોદ્દાનો ગેર-ઉપયોગ કરી બહેનોનું જ શોષણ કરવાના નનામા પત્રો ફરતા થયેલા અને ભાવનગરની એક મહિલા સાહિત્યકારને તો તેની ઇચ્છા વિરુધ્ધ તેમના ઘેર પણ લઇ ગયેલા. આમ આ લેખકની છાપ મહિલાઓના શોષણ તરીકેની છે અને હાલ પણ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઇ જહાને બદનામ કેમ કરવા તેમાં રચ્યાપચ્યા રહે છે. તેવી વ્યક્તિને આ કહેવાતી મહિલા લેખીકાએ આટલુ બધુ ‘મહત્વ’ કેમ આપેલ છે. તે ચર્ચાય છે. કદાચ તેમના વતી આ લેખક સાહિત્ય અને કવિતા લખી આપતા હશે. ભુતકાળમાં પવિત્ર યાત્રાધામ સહિત સરકારના કેટલાક વિભાગોમાંથી સ્પીચ લખવા સહિતની કેટલીક કામગીરી અંગે લાખો રૂપિયાના બીલો લીધા છે. આ લેખકની ‘રાવણ’ કથા લાંબી છે તે પછીથી લખીશું પરંતું મુળ વાત એ છે કે આવી વ્યક્તિને ‘ખાસ મહત્વ’ આપનારની માનસિકતા કેવી હોઇ શકે તે સાહિત્યકારો સમજી શકે છે.
પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી
ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે
ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમના સંચાલનમાં પણ છબરડા થયેલા. ઉપર જણાવી ગયા તેમ લેખકનું નામ પ્રથમ બોલતા તેમણે નારાગજી વ્યક્તિ કરીને બોલવાની ના પાડેલી. સંચાલન કરનારને પણ લેખિકા મહિલા સાથે દસ વર્ષ ઉપરાંતથી ખુબ ‘ઘનિષ્ઠતા’ છે. મૂળ તો મીડીયાની લાઇનમાં વહીવટી કર્મચારી છે. પરંતુ અહી પણ જ્ઞાન અને આવડત કરતા ઘનિષ્ઠતા જ મુખ્ય બાબત હોવાનો નિર્દેશ મળે છે. સૌથી હાસ્યાસ્પદ અને ખરાબ દશા ગાંધીજીની ભુમિકા ભજવનાર કલાકારની કરવામાં આવેલ. આમ, લગભગ સમગ્ર કાર્યક્રમની ગુણવત્તા તો જણાવાયેલ નહોતી. પરંતું ફિયાસ્કા સામે જ્ઞાન અને લાયકાત કરતા ‘ઘનિષ્ઠતા’ દેખાડવામાં બાદિશ પ્રયત્ન હતો. અમદાવાદના બદલે ગાંધીનગરમાં કાર્યકરમ યોજવાનું અને ભાજપના ધારાસભ્યને હાજર રાખી ભવિષ્યમાં પોતાના અને આપના નેતાના કામો કરવાનું ષડયંત્ર પણ નિષ્ફળ ગયેલ. આ કાર્યક્રમ બુક વિમોચનનું બહાનું હતું પરંતુ ભાજપને બદનામ કરવાનો એક માત્ર ધ્યેય હતું જે વાસ્તવમાં સફળ થયેલ નથી. તેવું સંબંધ કર્તાઓમાં ચર્ચાતું હતું