બોટાદ જિલ્લા પોલીસ હવે લઠ્ઠાકાંડ મામલે ઘટનાનો ભોગ બનેલા લોકોના મદદ માટે સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ જ્યા ઘરના મોભીના અવસાન આ ઘટનામા થયુ છે તેમના બાળકોના ભણતરની જવાબદારી લીધી છે.
આ માટે બોટાદ એસપી અને ડીવાયએસપીની ટીમ આજે દેવગણા ગામ આવી પહોચી અને એક પરિવારના બાળકોના અભ્યાસની જવાબદારી લેવાની વાત ગામ લોકો સામે જણાવી હતી. .
આ મામલે જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલા ડીવાયએસપી દેવગાણા ગામે પહોંકીને પરિવારને મળ્યા અને વાત કરી હતી. અહી એક પરિવારમા માતા આગાઉ જતા રહેલ અને માત્ર પિતા એક બાળકી અને ત્રણ બાળકોની દેખરેખ કરતા હતા જેમનુ પણ હવે આ ઘટનામા મોત થયું હતું. તેમના મોટા ભાઈ પર આ બાળકોની જવાબદારી આવી પડી પન સમસ્યા એ છે કે તેમને પણ ચાર બાળકો છે. આ વાતની જાણ થતા પોલીસ દ્વારા તમામ ચાર બાળકોને દત્તક લેવાયા છે. તેમણે કહ્યુ છે કે શિક્ષણ સિવાય કોઈ પણ મદદ માટે જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ હમેશા મદદ કરશે.