વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યોની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવી છે જેમાં ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓમાં ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિમાંથી દૂર કરીને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ગોંડ જાતિની 5 પેટા જાતિઓ – ધુરિયા, નાયક, ઓઝા, પાથરી, રાજગોંડ – અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવી હતી.
આ સાથે ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને આપેલા તેના મોટા ચૂંટણી વચનોમાંથી એક પૂર્ણ કર્યું. પાર્ટીએ ગોંડ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવા માટે કાયદો લાવવાનું વચન આપ્યું હતું.
આ વર્ષે માર્ચમાં સરકારે લોકસભામાં અનુસૂચિત જનજાતિ સંશોધન બિલ 2022 રજૂ કર્યું હતું. આ બિલમાં ઉત્તર પ્રદેશની ગોંડ, ધુનિયા, નાયક, ઓઝા પાથરી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ હતી, જેને ત્યાં અવાજ મતથી પસાર કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. આવી સ્થિતિમાં તેને કેન્દ્રીય કેબિનેટમાં પાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.