કાલથી બદલાઈ રહ્યા છે ટેક્સ સંબંધિત 6 નિયમો, જીવન વીમા પ્રિમિયમ સાવ સસ્તું થઈ જશે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

આવતીકાલે આવકવેરા સંબંધિત છ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનો સીધો ફાયદો સામાન્ય માણસ અને વેપારીઓને થશે. 1 ઓક્ટોબરથી ટેક્સ નિયમોમાં ફેરફાર થયા બાદ જીવન વીમાનું પ્રીમિયમ ભરવું અને ભાડું ચૂકવવું પણ સસ્તું થઈ જશે. સરકાર 1 ઓક્ટોબરથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. હવે આધાર એનરોલમેન્ટ નંબરની જગ્યાએ આધાર નંબર નાખવો પડશે. તેનો હેતુ ગ્રાહક સંબંધિત માહિતીને ઝડપથી એક્સેસ કરવાનો છે, જેથી આધાર સાથે જોડાયેલ સેવાઓને ઝડપી બનાવી શકાય અને કોઈપણ પ્રકારના ડુપ્લિકેશનને પણ ટાળી શકાય.

સરકાર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે અને તેના દરમાં ઘટાડો કરશે. ઘણી સેવાઓ પર ટીડીએસ 5 થી 2 ટકા ઘટશે. આ ઉપરાંત કલમ 194F હેઠળ લાગતો 20 ટકા TDS પણ નાબૂદ કરવામાં આવશે. હાલમાં, જીવન વીમા પૉલિસીના પ્રીમિયમની ચુકવણી પર 5 ટકા TDS છે, જે ઘટાડીને 2 ટકા કરવામાં આવશે. લોટરી ટિકિટ કમિશન પર ટીડીએસ પણ 5 થી ઘટાડીને 2 ટકા કરવામાં આવશે. ભાડાની ચુકવણી પરનો TDS પણ 5 થી વધારીને 2 ટકા કરવામાં આવશે. મ્યુચ્યુઅલ ફંડની પુનઃખરીદી પરના TDSમાં પણ 3 ટકાનો ઘટાડો થશે.

જો ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ અથવા અન્ય સરકારી સિક્યોરિટીઝ પર વાર્ષિક વ્યાજ 10,000 રૂપિયાથી વધુ છે, તો તેના પર ટેક્સ ચૂકવવો પડશે. સરકાર હવે આવા રોકાણ પર પણ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ બિલકુલ FD જેવું હશે, જેના પર વાર્ષિક આવક 40 હજાર રૂપિયાથી વધુ હોય તો તેના પર ટેક્સ લાગે છે.

સિક્યોરિટીઝના ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરનારાઓએ હવે 0.02 ટકા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરનારાઓએ 0.1 ટકાનો દર ચૂકવવો પડશે.

1 ઓક્ટોબરથી સરકાર તેનો લાભ મેળવનારા રોકાણકારો પાસેથી કંપનીના શેર બાયબેક પર ટેક્સ વસૂલ કરશે, જ્યારે અત્યાર સુધી તે બાયબેક કરતી કંપનીએ ચૂકવવી પડતી હતી. દેખીતી રીતે, શેર બાયબેકમાં ભાગ લેનારા રોકાણકારો પર બોજ વધશે.

ટ્રાફિક કોન્સ્ટેબલને તમારા વાહનની ચાવી કે ટાયરમાંથી હવા કાઢવાનો કોઈ જ અધિકાર નથી, જાણો શું કહે છે નિયમો?

જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?

‘તે કોલસો છે…’, સચિન તેંડુલકરના પુત્ર હવે યુવરાજ સિંહના પિતાના નિશાના પર, જાણો કેવા કેવા શબ્દો કહ્યાં?

સરકાર ફરી એકવાર 1 ઓક્ટોબરથી વિવાદ સે વિશ્વાસ યોજના લાગુ કરી રહી છે. આ અંતર્ગત ટેક્સ વિવાદોનું નિરાકરણ ઝડપી કરવામાં આવશે. યોજનાના આ બીજા સંસ્કરણમાં જૂના અરજદારોને વધુ છૂટ આપવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું છે કે તે 31 ડિસેમ્બર પહેલા અરજી કરનારાઓને વધુ લાભ આપશે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly