કેરળમાં આજે સવારે બે બસની ટક્કરથી એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કેરળના પલક્કડ જિલ્લામાં વડક્કનચેરી ખાતે એક પ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે અથડાઈ હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 38 ઘાયલ થયા હતા. રાજ્ય મંત્રી એમબી રાજેશે આ માહિતી આપી.
આ પહેલા ગુજરાતના વડોદરા શહેરમાં મંગળવારે નેશનલ હાઈવે પર એક કન્ટેનર ટ્રકે થ્રી-વ્હીલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. થ્રી-વ્હીલરમાં લગભગ 10 લોકો સવાર હોવાનું જણાવાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કન્ટેનર ટ્રકે કાર સાથે અથડાયા બાદ તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ડિવાઈડર તોડીને રોડની બીજી બાજુ જઈને થ્રી-વ્હીલર સાથે અથડાઈ હતી.
આ સિવાય મંગળવારે મહારાષ્ટ્રના લાતુરમાં રાજ્ય પરિવહનની બસ સાથે કાર અથડાતાં બે મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત સવારે લગભગ 8.30 વાગ્યે હૈબતપુર ગામમાં ઉદગીર-નાલેગાંવ રોડ પર થયો હતો. કારમાં બે મહિલાઓ સહિત છ લોકો સવાર હતા. તેઓ તુલજાપુરમાં મંદિરના દર્શન કર્યા બાદ નાંદેડ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની કાર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે તેની કાર પલટી ગઈ.