દિલ્હી: કાલકાજી મંદિરમાં માતા જાગરણ દરમિયાન સ્ટેજ ધરાશાયી, એકનું મોત, 17 ઘાયલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News: દિલ્હીના કાલકાજી મંદિરમાં માતાના જાગરણ દરમિયાન સ્ટેજ ધરાશાયી થતાં હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 17 લોકો ઘાયલ થયા છે. આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી

વાસ્તવમાં કાલકાજી મંદિરના મહંત પરિસરમાં માતા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 26 વર્ષથી તેનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે લગભગ 1500-1600 લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.

દેશની મજબૂત તાકાત! એડનના અખાતમાં ભારતીય નૌકાદળ બીજા જહાજ માટે બન્યું દેવદૂત, હૌથીના હુમલા પછી ઓઇલ ટેન્કરમાં આગ લાગી… અને પછી

ખેડૂતો મુકાયા ચિંતામાં… ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી, સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષા, હિમ વર્ષાની શક્યતા!

ફિલ્મફેર એવોર્ડ 2024માં બોલિવુડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી, ગુજરાતી વ્યંજનનો સ્વાદ માણશે સુપર સ્ટાર્સ, જાણો સ્વાદિષ્ટ મેનુ

પોલીસના જણાવ્યા અનુસાર ક્રાઈમ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. તમામ ઘાયલોની હાલત સ્થિર છે, જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયું છે. આ મામલે આયોજકો સામે IPCની કલમ 337/304A/188 હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ ઘટના સવારે 1.20 વાગ્યે બની હોવાનું કહેવાય છે.


Share this Article
TAGGED: