BIG BREAKING: દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદ અને મસમોટા દંડની સજા ફટકારી, “આદતવાદી ગુનેગાર”ની ગેમ ઓવર!

Lok Patrika
By Lok Patrika
Share this Article

આસારામને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આસારામને જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ફરિયાદ પક્ષે ગુજરાત કોર્ટને જણાવ્યું હતું કે આસારામ એક “આદતવાદી ગુનેગાર” છે અને તેણે આજીવન કેદની માંગણી કરી હતી. સરકારી વકીલે મંગળવારે ગાંધીનગરની કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે 2013માં ભૂતપૂર્વ મહિલા શિષ્ય દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં દોષિત આસારામ બાપુ એક “આદતવાદી ગુનેગાર” છે. આ કેસમાં આસારામને આજીવન કેદ અને ભારે દંડ ફટકારવાની માંગ કરવામાં આવી છે. વિશેષ સરકારી વકીલ આર.સી. કોડેકરે જણાવ્યું હતું કે સેશન્સ કોર્ટના જજ ડીકે સોનીએ સજાની માત્રા પર દલીલો સાંભળી હતી અને અંતિમ આદેશ બપોરે 3.30 વાગ્યા સુધી અનામત રાખ્યો હતો.

હવે આસારામને આ ફટકો તો પડ્યો છે, પરંતુ વકીલો હવે હાઈકોર્ટમાં જવાના છે. આસારામના વકીલે કહ્યું છે કે અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું. અત્રે એ સમજવું જરૂરી છે કે હજુ સુધી આસારામને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. બળાત્કારના બીજા કેસમાં તે સામનો કરી રહ્યો છે, તેની જામીન અરજી ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે આસારામ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તે વૃદ્ધ છે, અનેક પ્રકારની બીમારીઓ છે, આવી સ્થિતિમાં તેને જામીનનો અધિકાર છે. પરંતુ ત્યારબાદ કોર્ટે કોઈ રાહત આપી ન હતી અને સુનાવણી વધુ મુલતવી રાખવામાં આવી હતી. 10 વર્ષ જૂના કેસની સુનાવણી લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહી હતી. 2001માં સુરતની બે યુવતીઓ પર બળાત્કારનો કેસ 2013માં નોંધાયો હતો. કોર્ટે આ કેસમાં કુલ 68 લોકોના નિવેદન નોંધ્યા છે. આ કેસમાં કુલ સાત લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે છ આરોપીઓને નિર્દોષ ગણાવ્યા અને આસારામને દોષિત ઠેરવ્યા.

 

ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન આસારામને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં આસારામ પર સુરતની બે યુવતીઓએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે લાંબી સુનાવણી પછી આરોપો સાચા ગણ્યા અને આસારામને દોષિત ઠેરવ્યા, જ્યારે નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. જેમાં આસારામ સિવાય તેમની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. 2018 માં, જોધપુર કોર્ટે તેને 16 વર્ષની છોકરી સાથે બળાત્કાર કરવા માટે દોષી ઠેરવ્યો હતો. આ પછી આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

સુરતની આ ઘટના વર્ષ 2001ની છે. તે સમયે આસારામ સામે કેસ દાખલ કરવાની કોઈની હિંમત નહોતી.

ભગવાન તમને જાજુ આપે બાપ! અમદાવાદની આ પ્રાઈવેટ કંપનીએ પોતાના કર્મીચારીઓને ગિફ્ટમાં આપી મોંઘીદાટ કાર

અદાણીના વળતા પાણી જોઈને સૌથી વધારે લોન આપનાર SBI થર-થર ધ્રુજવા લાગી, તમારું ખાતું હોય તો વાંચી લો આ સમાચાર

પેપર લીક મામલે ગુજરાત સરકાર મોટા એક્શનમાં, હવે સપનામાં પણ કોઈ પેપર ફોડવાનું નહીં વિચારે, જાણો મોટા સમાચાર

આખરે ઘટનાના 12 વર્ષ બાદ એટલે કે 6 ઓક્ટોબર 2013ના રોજ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો. ત્યારે સરકાર તરફથી 55 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના વિરોધાભાસી નિવેદનોને કારણે કુલ 8માંથી એક આરોપીને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ સિવાય સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી મામલો ચાલી રહ્યો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ અને આસારામને દોષિત જાહેર કર્યા છે.

 

Share this Article

Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly