India News: કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે અયોધ્યા એરપોર્ટનું નામ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ 30 ડિસેમ્બરે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
“એરપોર્ટનું નામ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ મહર્ષિ વાલ્મિકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, જેમણે રામાયણની રચના કરી હતી,” એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. આ નામે એરપોર્ટની ઓળખમાં એક સાંસ્કૃતિક તત્વ પણ ઉમેર્યું છે.
‘…મંદિર વહી બનાયેંગે’ના નારાની વાર્તા જાણીને તમને આશ્ચર્ય થશે! જાણો આ સ્લોગન કોણે આપ્યું હતું?
“ખૂબ મોટી રામ ભક્ત છે ને, 72 કલાકમાં મારી નાખીશ…” રામ દરબારનું આયોજન કરનાર રૂબી ખાનને મળી ધમકી
અયોધ્યાની આર્થિક ક્ષમતા અને વૈશ્વિક તીર્થ સ્થળ તરીકે તેના મહત્વને સમજવા અને વિદેશી તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ માટે દરવાજા ખોલવા માટે અયોધ્યા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. “અયોધ્યા, તેના ઊંડા સાંસ્કૃતિક મૂળ સાથે, વ્યૂહાત્મક રીતે એક મુખ્ય આર્થિક હબ અને તીર્થ સ્થળ બનવા માટે સ્થિત છે,” રિલીઝમાં કહેવામાં આવ્યું છે.”આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને વ્યવસાયોને આકર્ષવાની એરપોર્ટની ક્ષમતા શહેરની ઐતિહાસિક પ્રતિષ્ઠાને અનુરૂપ છે.”