Bahanaga Bazar station sealed: ઓડિશાના બાલાસોરમાં જે સ્ટેશનની નજીક ભયાનક ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યાં કોઈ ટ્રેન ઉભી રહેશે નહીં. આ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈએ લોગ બુક, રિલે પેનલ અને સાધનસામગ્રી જપ્ત કર્યા બાદ સ્ટેશનને સીલ કરી દીધું છે, તેથી બહાનાગા બજાર સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી રહેશે નહીં. રેલવેના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. અપ અને ડાઉન બંને લાઇન પર સેવાઓ ફરી શરૂ થયા પછી, બહાનાગા બજાર સ્ટેશન પર ઓછામાં ઓછી સાત ટ્રેનો (મોટેભાગે લોકલ) રોકાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે 2 જૂને ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની હતી જેમાં 288 લોકોના મોત થયા હતા જ્યારે 1,208 લોકો ઘાયલ થયા હતા.
દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું કે સીબીઆઈએ લોગ બુક, રિલે પેનલ અને અન્ય સાધનો જપ્ત કર્યા બાદ સ્ટેશનને સીલ કરી દીધું છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, “સિગ્નલિંગ સિસ્ટમમાં સ્ટાફના પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે રિલે ઇન્ટરલોકિંગ પેનલ્સને સીલ કરવામાં આવી છે, આગળની સૂચના સુધી કોઈ પેસેન્જર અથવા માલસામાન ટ્રેન બહનાગા બજારમાં રોકાશે નહીં.”
આ પણ વાંચો
બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પરથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે, તેમ છતાં માત્ર ભદ્રક-બાલાસોર મેમુ, હાવડા ભદ્રક બાઘાજતીન ફાસ્ટ પેસેન્જર, ખડગપુર ખુર્દા રોડ ફાસ્ટ પેસેન્જર જેવી પેસેન્જર ટ્રેનો એક મિનિટ માટે સ્ટેશન પર રોકાતી હતી. બીજી બાજુ, ઘાયલોને વળતરની રકમ અંગે, અધિકારીએ કહ્યું કે 1,208 ઘાયલોમાંથી, રેલવેએ પહેલાથી જ 709 મુસાફરોને એક્સ-ગ્રેશિયા પ્રદાન કરી છે.