પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણી માટે ફરીથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે રવિવારે (9 જુલાઈ) કહ્યું કે પંચાયત ચૂંટણી માટે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણામાં પુનઃ મતદાન યોજાશે. બંગાળ રાજ્ય ચૂંટણી પંચે સોમવારે (10 જુલાઈ) એ બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે જ્યાં મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 604 બૂથનો સમાવેશ થાય છે જ્યાં પુન: મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતો માટે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું.
આ દરમિયાન હિંસામાં 15 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બે ઘાયલ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે, દક્ષિણ 24 પરગણામાંથી વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ 73,887 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે 2.06 લાખ ઉમેદવારો મેદાનમાં હતા. કામચલાઉ આંકડાઓ મુજબ, 66.28 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ કહ્યું કે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પંચાયત ચૂંટણી દરમિયાન થયેલા મૃત્યુ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
અ’વાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવુ જ ઘાતક એલર્ટ
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા સામે ભાજપના સમર્થકો રવિવારે કોલકાતામાં રાજ્ય ચૂંટણી પંચની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોએ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે પંચની કથિત અસમર્થતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી સંબંધિત મૃત્યુ માટે રાજ્ય ચૂંટણી કમિશનરને દોષી ઠેરવતા, ભાજપે શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી.દરમિયાન, બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે નવી દિલ્હી ગયા છે. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેનો અહેવાલ આપે તેવી શક્યતા છે. અધિકારીએ જણાવ્યું કે સીવી બોઝ સોમવારે સવારે અમિત શાહને મળી શકે છે.