ચંદ્રયાન-3 પર ઈસરોના પૂર્વ વડાએ એવું નિવેદન આપ્યું કે 140 કરોડ ભારતીયોની છાતી ગજગજ ફૂલી જશે, જાણી લો ફટાફટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

 India News : દરેક વ્યક્તિ ચંદ્રયાન-3ની ( Chandrayaan 3) સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને તે પહેલા ઇસરોએ (isro) પૂરી તૈયારીઓ કરી લીધી છે. 17 ઓગસ્ટથી ચંદ્રયાન-3 લેન્ડિંગ સાથે જોડાયેલી પોતાની અંતિમ પ્રક્રિયાઓ શરૂ કરશે અને આ સાથે જ દરેક પળ જરૂરી બની જશે. આ દરમિયાન ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે સિવને (k sivan) નિવેદન આપ્યું છે જેનાથી દરેક દેશવાસીનો વિશ્વાસ વધશે. કે સિવને કહ્યું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે ચંદ્રયાન-3 એકદમ સફળ રહેશે.

 

ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ કરનાર કે.સિવને કહ્યું છે કે 23 ઓગસ્ટની તારીખ એવી છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રયાન-2એ અત્યાર સુધીની તમામ પ્રક્રિયા પણ પૂરી કરી લીધી હતી, પરંતુ લેન્ડિંગ દરમિયાન સમસ્યા સર્જાતા તે સફળ થઇ શક્યું ન હતું. તેમણે કહ્યું કે લેન્ડિંગને લઇને ચિંતા રહેશે, પરંતુ મને વિશ્વાસ છે કે તે સફળ થશે, કારણ કે અમે અમારી ભૂતકાળની ભૂલોથી ઘણું શીખ્યું છે.

કે સિવને ખુલાસો કર્યો કે અમે આ વખતે લેન્ડિંગ માર્જિન વધાર્યું છે, તેમણે કહ્યું કે 17 ઓગસ્ટે યોજાનારી પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં ચંદ્રયાન-3ને બે ભાગમાં વહેંચવાનું છે, એક પ્રોપલ્શન છે અને બીજું લેન્ડર.

 

 

ચંદ્રયાન-3 માટે, માત્ર ચંદ્રયાન-2 જ નહીં પરંતુ ચંદ્રયાન-1 મિશનનું નેતૃત્વ કરનાર ડૉ. એમ. અન્નાદુરાઈએ પણ શુભેચ્છાઓ મોકલી છે. તેમણે કહ્યું કે જ્યારે પ્રોપલ્શન અને લેન્ડરને અલગ કરવામાં આવશે ત્યારે લેન્ડરની એક્ટિવિટી ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન 4 થ્રસ્ટર્સ હશે, જેને ISRO વારંવાર તપાસશે અને અંતે લેન્ડર 100*30 KMની રેન્જમાં પહોંચી જશે.

 

ગુજરાત સહિત 100 શહેરોમાં 10,000 ઈલેક્ટ્રિક બસો દોડશે, 57,000 કરોડના પ્રોજેક્ટને મોદી સરકારે આપી દીધી મંજૂરી

રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…

200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો

 

ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતાથી ઈસરોને ઘણું શીખવા મળ્યું હતું અને તે પછી ચંદ્રયાન-3માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3માં લેન્ડિંગ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જોડવામાં આવી અને તેને એવી રીતે તૈયાર કરવામાં આવી કે દરેક પરિસ્થિતિમાં તેને ચંદ્ર પર ઉતરવું જ પડશે. ચંદ્રયાન-3ની વાત કરીએ તો આ મિશનને 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારથી દેશવાસીઓની નજર તેના પર છે. 1 ઓગસ્ટના રોજ તે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો અને 16 ઓગસ્ટે અંતિમ મનુવર પણ પૂર્ણ થયું. હવે ઉતરાણની અંતિમ કાર્યવાહી ૧૭ થી ૨૩ ઓગસ્ટની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે.

 

 

 


Share this Article
TAGGED: ,