આધારના દસ્તાવેજ ઑનલાઇન અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમની ઓળખ અને સરનામાના પુરાવા અપલોડ કરી શકે છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ઓનલાઈન મફત આધારકાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 14 સપ્ટેમ્બર, 2023 સુધી કરવાની જાહેરાત કરી છે.

શરૂઆતમાં UIDAIએ માર્ચમાં આ ત્રણ મહિનાના ડ્રાઇવની મુદત 14 જૂન, 2023 સુધી નિર્ધારિતકરી હતી. આ ઝુંબેશ એવા નાગરિકોને લાગુ પડે છે જેમણે 10 વર્ષ પહેલાં તેમનો આધાર જારી કર્યો હોય અને તેને અપડેટ કર્યો નથી. સુવિધા મેળવવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ પર ઓળખ અને સરનામાના પુરાવા સબમિટ કરવાના જરૂર રહેશે. સામાન્ય રીતે, દરેક આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે ₹50નોખર્ચથાયછે.

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમની ઓળખ અને સરનામાના પુરાવા અપલોડ કરી શકે વિના મૂલ્યે અપડેટ કરી શકે છે. UIDAIનુંરાજ્ય કાર્યાલય ગુજરાત વસતિ વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે તમારા આધારને અપડેટ કરવાનું સૂચન કરે છે. તેને અપડેટ કરવા માટે, તમારી ઓળખનો પુરાવો અને સરનામાના દસ્તાવેજોનો પુરાવો અપલોડ કરો.

આ પણ વાંચો

આખરે તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ, યૌન શોષણના આરોપમાં થશે મોટા ધડાકા

ઠેર ઠેર આજે અમદાવાદમા રસ્તાઓ બંધ, કેટલાય રૂટને ડાયવર્ઝન કરાયા, અહીં જાણી લો આખું લિસ્ટ, નહીતર હેરાન પરેશાન થઈ જશો

આજે અમદાવાદમાં ૧૪૬મી રથયાત્રા, જૂઓ ક્યાં પહોંચ્યા, કેવી છે ભક્તોની ભીડ, સજી ધજીને ભગવાન નગરચર્યાએ નીકળ્યા

આધાર વિગતોને ઑનલાઇન અપડેટ કરવા માટેનાં પગલાં:

1. UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in પર આધાર સ્વ-સેવા પોર્ટલની મુલાકાત લો

2. આધાર નંબર અને કેપ્ચાનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરો. પ્રક્રિયાને પ્રમાણિત કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

3. દસ્તાવેજ અપડેટ વિભાગ પર જાઓ અને હાલની વિગતોની સમીક્ષા કરો.

4. ડ્રોપ-ડાઉન સૂચિમાંથી યોગ્ય દસ્તાવેજ પ્રકાર પસંદ કરો, અને મૂળ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.

5. સબમિટ બટન પર ક્લિક કરો. એપ્લિકેશનની સ્થિતિને ટ્રૅક કરવા માટેસેવા વિનંતી નંબર નોંધો(SRN).


Share this Article