ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પહેલી જ મેચમાં ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન એમએસ ધોની ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.
IPL 2023ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી.આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચ દ્વારા CSKને ગુજરાત સામે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન કૂલ એમએસ ધોની ઘણો નિરાશ દેખાયો અને તેણે મેચ બાદ આ હારનું સાચું કારણ જણાવ્યું.
ધોનીએ હારનું કારણ જણાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું, “અમને ખબર હતી કે ત્યાં ઝાકળ પડશે. અમે બેટથી થોડું સારું કરી શક્યા હોત. રૂતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યુ, બોલને સારી રીતે ટાઇમિંગ કરતો હતો અને તેની બેટિંગ જોઈને આનંદ થયો હતો. તે જે રીતે તેની પસંદગી કરે છે, તે જોવા માટે ખૂબ સરસ છે. મને લાગે છે કે યુવા ખેલાડીઓનું આવવું મહત્વપૂર્ણ છે.
ધોનીએ પોતાના ડેબ્યૂ બોલર રાજવર્ધન હંગરગેકર વિશે વાત કરી. તેણે કહ્યું કે રાજવર્ધન કેવી રીતે પોતાને વધુ સારું બનાવી શકે છે. ધોનીએ કહ્યું, “મને લાગે છે કે રાજવર્ધન હંગરગેકરની ઝડપ છે અને તે સમયની સાથે સારી થઈ જશે. મને લાગે છે કે બોલરો વધુ સારા થશે, નો-બોલ એવી વસ્તુ છે જે તમારા નિયંત્રણમાં છે, તેથી તમારે તેના પર કામ કરવાની જરૂર છે.”
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
ધોનીએ આગળ ડાબા હાથના ખેલાડીઓ વિશે વાત કરી. તેણે કહ્યું કે તે ટીમની બોલિંગમાં કેવી રીતે આરામદાયક હતી. CSKના કેપ્ટને કહ્યું, “મને લાગ્યું કે બે ડાબા હાથના બોલર વધુ સારા વિકલ્પ છે તેથી હું તેમની સાથે ગયો. શિવમ એક વિકલ્પ હતો, પરંતુ હું બોલરો સાથે એકંદરે આરામદાયક હતો.